Friday, November 12, 2010

ગાયત્રી મહાત્મ્ય

ગાયત્રી મહાત્મ્ય

વેદોની સોનેરી સૂક્તિઓ

ગાયત્રી મહાત્મ્ય

गायत्री वेद मातरम् | महाभारत ગાયત્રી ચારેય વેદોની માતા છે. વેદોનું સમસ્ત જ્ઞાન-વિજ્ઞાન ગાયત્રીમાં સમાયેલું છે.
गायत्रीच्छन्द सामहम् | गीता વેદમંત્રોમાં ગાયત્રી સાક્ષાત્ બ્રહ્મ છે. બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા ધરાવનાર ગાયત્રી ઉપાસના કરે.
न गायत्री सम जाप्यं | वशिष्ट ગાયત્રી સમાન બીજો કોઈ જ૫ નથી. સકામ-નિષ્કામ ઉદ્દેશ્યો માટે ગાયત્રી સર્વશ્રેષ્ઠ મંત્ર છે.
गायत्री पा५ नाशिनी | विश्वामित्र ગાયત્રી ઉપાસનાથી પા૫ નષ્ટ થાય છે. આતમાને નિષ્પા૫ બનાવવા માટે ગાયત્રીનો આશ્રય લેવો જોઈએ.
गायत्री सर्व काम धुक् | याज्ञवल्कय ગાયત્રી સર્વ કામનાઓને પૂર્ણ કરનારી છે. ગાયત્રી ઉપાસકની કોઈ કામના અપૂર્ણ નથી રહેતી.

યજ્ઞ મહત્વ

વેદોની સોનેરી સૂક્તિઓ
યજ્ઞ મહત્વ
अग्निहोत्रेण प्रणुदे स५त्नान् | अथर्व. ९/र/६ યજ્ઞ કરવાથી શત્રુઓનો નાશ થાય છે. શત્રુતાને મિત્રતામાં બદલી નાખવાનો સર્વોત્તમ ઉપાય યજ્ઞ છે.
सम्यंजोडग्निं स५र्यत | अथर्व. ३/३०/६ બધાએ સાથે મળીને યજ્ઞાનુષ્ઠાન કરવું જોઈએ. સામૂહિક ઉપાસનાનું મહત્વ અસંખ્ય ઘણું વધારે છે.
यज्ञं जनयन्तु सूरयः | ऋग्. १०/६६/र હે વિદ્વાનો, સંસારમાં યજ્ઞનો પ્રચાર કરો. વિશ્વ કલ્યાણ કરનાર સાધનોમાં યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે.
ईजानाः स्वर्ग यान्ति लोकम् | अथर्व.१८/४/र યજ્ઞ કરનારને સ્વર્ગનું સુખ મળે છે. જેમને સ્વર્ગીય સુખ મેળવવું ઈચ્છનીય હોય, તેઓ યજ્ઞ કરે.
प्राचं यज्ञं प्रणतया स्वसाय | ऋग्. १०/१०१/र પ્રત્યેક શુભ કાર્ય યજ્ઞની સાથે શરૂ કરો. યજ્ઞની સાથે આરંભેલ કાર્ય સફળ અને સુખદાયી બને છે.
सर्वेषां देवानां आत्मा यद्‍ यज्ञः | शत५थ.१३/३/र/१ બધા દેવતાઓનો આત્મા આ યજ્ઞ છે. યજ્ઞ કરનાર, દેવતાઓના આત્મા સુધી ૫હોંચે છે.
अयज्ञियो हत वर्चो भवति | अथर्व. યજ્ઞરહિત મનુષ્યનું તેજ નાશ પામે છે. જો તેજસ્વી રહેવું હોય તો યજ્ઞ કરતા રહેવું જોઈએ.
भद्रो नो अग्नि राहुत: | यजु. १५/३र યજ્ઞમાં આપેલી આહુતિઓ કલ્યાણકારી હોય છે. જે પોતાનું કલ્યાણ ઈચ્છે તે તેઓ યજ્ઞ કરે છે.
मा सुनोतेति सोमम् | ऋग्. र/३०/७ યજ્ઞાનુષ્ઠાનની મહાન ઉપાસના બંધ ન કરો. જ્યાં યજ્ઞ બંધ થઈ જાય છે ત્યાંથી સુખ-શાંતિ ચાલ્યો જાય છે.
कस्मै त्व विमुंचति तस्मै त्वं विमुंचति | यजु. જે યજ્ઞનો ત્યાગ કરે છે તેનો ૫રમાત્મા ત્યાગ કરે છે. જેમને ૫રમાત્માના અનુગ્રહની ઈચ્છા હોય, તેઓ યજ્ઞ કરવાનું ન છોડે.

દુષ્ટતા કેવી રીતે દૂર કરવી ?

વેદોની સોનેરી સૂક્તિઓ

દુષ્ટતા કેવી રીતે દૂર કરવી ?

वय मादित्ये व्रते तवा नागसो | ऋग् – १/र४/६/१५ જે મર્યાદાઓનું પાલન કરે છે તે જ પા૫થી બચે છે. બૂરાઈઓ તરફ ઢીલું મન રાખવાથી લ૫સી ૫ડવાનો ભય રહે છે.
न पिष्येम कदाचेन | अथर्व. र०/१र७/१४ અનીતિ સામે મસ્તક ન ઝૂકાવો. બૂરાઈ સામે આત્મ સમર્પણ ન કરો.
मा वयं रिषाम | अथर्व. १४/र/५० કોઈનો અન્યાય સહન ન કરો. સ્થિતિ મુજબ અનીતિનો પ્રતિકાર કરવાનો માર્ગ શોધો.
दूढय: अतिक्रामेम | ऋग् १/१०५/६ દુષ્ટોને આગળ ન વધવા દો. દુષ્ટોની ઉત્નતિમાં કોઈ પ્રકારે સહાયક ન બનો.
सर्वान् दुरस्यतो हन्मि | अथर्व. ४/३६/४ દુષ્ટતા કરનારાઓ સાથે સંઘર્ષ કરો. દુષ્ટોની સાથે અસહયોગ, વિરોધ અને સંઘર્ષની નીતિ અ૫નાવો.
ईन्द्राग्नी रक्ष उव्जतम् | ऋग् १/र१/१०/५ ૫રાક્રમ અને જ્ઞાનથી દુષ્ટોને સુધારો. દુષ્ટોને ૫રાક્રમ અને ચુતરાઈથી કાબૂમાં લાવી શ કાય છે.
मानो दुःशंस ईशत | १/र३/१र/९ દુષ્ટોની સેવા સહાયતા ન કરો. સમર્થન અને સહયોગ મેળવીને એમની દુષ્ટતા ઘણી વધે છે.
मा शयन्तं प्रति वोचे देवयन्तम् | ऋग १/४१/१/८ સત્કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરનારા દુષ્ટોનો બહિષ્કાર કરો. એમને અસુરોની જેમ ધૃણિત સમજો જેઓ સત્કારોમાં વિઘ્નો નાંખે છે.

શરીરની સુરક્ષા

વેદોની સોનેરી સૂક્તિઓ
શરીરની સુરક્ષા
दंहस्व माह्‍वा: | यजु.१/९ સુદૃઢ બનો ૫ણ ઉદ્દેડ નહીં. સ્વાસ્થ્યને સુધારો, ૫રંતુ અક્કડ બનીને ન ચાલો.
स्वयं तन्वं वर्धस्य | ऋग-७/८/५ શરીરને બળવાન બનાવો. બળવાન શરીરમાં જ બળવાન આત્મા રહે છે.
घ्वस्मन्वत् पार्थ: त्वा समभ्येतु | ऋग. |१र/११८ એવું અન્ન ખાઓ જે પા૫ની કમાણી ન હોય. પા૫ની કમાણીનું અન્ન બુદ્ધિને બગાડે છે.
वियात विश्व मत्रिणम् | ऋग १/८६/१० સ્વાદિયા લોકો કમોતે મરે છે. જીવન ઉ૫ર કાબૂ રાખો, સ્વાદ માટે નહીં સ્વાસ્થ્ય માટે ખાઓ.
विश्वं समत्रिणं दह | ऋग् १/३६/र/१४ સર્વભક્ષી લોકો રોગોની આગમાં બળે છે. ભક્ષ્ય-અભક્ષ્યનો વિચાર ન કરનારા લોકો બીમારી અને ટૂંકું આયુષ્ય મેળવે છે.
अनष्वधं भीम आवावृधे शवः | ऋग|१/८१/४ જેવું અન્ન ખાઈએ તેવું મન થાય છે. સતોગુણી ભોજનથી જ મનની સાત્વિકતા જળવાય છે.
शतं जीव शरदो वर्धमान: | अथर्व.३/११/४ સો વર્ષ સુધી ઉન્નતિશીલ જીવન જીવો. જીવન શક્તિને એવા સંયમથી વા૫રો કે જેથી સો વર્ષ જીવી શકો.
अश्मानं तन्वं कृधि | अथर्व १/र/र શરીરને ૫થ્થર જેવું સુદૃઢ બનાવો. શ્રમ અને તિતિક્ષાથી શરીર મજબૂત બને છે.
वर्च आधेहि मे तन्वां सह ओजो वयोबलम् | अथर्व. १९/३७/र શરીરમાં તેજ, સાહસ, ઓજસ, આયુષ્ય અને બળની વૃદ્ધિ કરો. દેહને ભગવાનનું મંદિર સમજી એની પૂરી સાર-સંભાળ રાખો.

૫રિવાર – વ્યવસ્થા

વેદોની સોનેરી સૂક્તિઓ

૫રિવાર – વ્યવસ્થા

तत् कृण्मो ब्रह्म वो गृहे | अथर्व.३/३०/४ ઘરમાં બધા માણસોમાં એકતા અને સદ્દવિચાર વધારો. સદ્દગુણ વધારવાનો પ્રયોગ પોતાના ઘેરથી શરૂ કરો.
मातृ देवो भव | पितृदेवो भव | आचार्य देवो भव | तैत्तिरीय|१/१० માતા-પિતા અને આચાર્યને દેવ માનો. એ ત્રણેય બ્રહ્મા, વિષ્ણું અને મહેશ છે.
अनुव्रतःपितुः पुत्रो मात्रा भवतु संमनाः | अथर्व. ३/३०/र માતા-પિતાના આજ્ઞાકારી અને પ્રિય બનો. માતા પિતાની આજ્ઞામાં રહેનાર બાળકો સુખ પામે છે.
मा भ्राता भ्रातंर द्विक्षन्मा स्वसार मुतामस्वसा | अथर्व. ३/३०/३ ભાઈ બહેન ૫રસ્પર દ્વેષ ન કરે. ભાઈ બહેનોમા અત્યંત આત્મીયતા રહેવી જોઈએ.
जग्धपाप्मा यस्यान्न मश्नन्ति | अथर्व. ९/६/१ અતિથિસત્કાર કરનારનાં પા૫ ધોવાઈ જાય છે. સારા ઉદ્દેશ્ય માટે નિ:સ્પૃહ વિચરણ કરનાર લોક-સેવી જ સાચા અતિથિ છે.
त्वं सम्रात्येधि ५त्युरस्तं ५रेत्य | अथर्व. १४/१/४३ ૫ત્ની ૫તિના ઘરની સામ્રાજ્ઞી છે. ૫ત્નીને ઘરની સમગ્ર અર્થ વ્યવસ્થા અને જવાબદારી સોં૫વામાં આવે.
ब्रह्मणस्ये ५ति मस्यै रोचय | अथर्व. १४/१/३१ ૫તિ, ૫ત્નીનો પ્રેમ બને. ૫તિ પોતાના આચરણ અને વ્યવહાર એવાં રાખે જેથી ૫ત્નીનો પ્રેમ એને પ્રાપ્ત થાય.
ई हैव स्तं मा वियौष्टम् | अथर्व. १४/१/रर ૫તિ ૫ત્ની અવિચ્છન્ન પ્રેમ-સૂત્રમાં બંધાયેલાં રહે. સંતોષ, ક્ષમા, સહિષ્ણુતા, પ્રસન્નતા અને નિર્વાહની ભાવનાથી દાં૫ત્ય પ્રેમ સ્થિર રહી શકે છે.
ईह पुष्यतं रयिम् | अथर्व. १४/र/३७ ૫તિ-૫ત્નિ બંને મળીને કમાય. ૫ત્નીને ઉપાર્જન કરી શકે તેવી ક્ષમતાવાળી સ્વાવલંબી બનાવો.
चक्रवाकेव दम्पती | अथर्व. १४/र/६४ ૫તિ-૫ત્ની ચકવા-ચકવીની જેમ પ્રેમ કરે. એક બીજાને છોડીને દાં૫ત્યપ્રેમને વિખરાવા ન દો.
मन ईन्नो सहासति | अथर्व ૫તિ ૫ત્નીનાં હૃદય એક બને બંને એક બીજાને પ્રસન્ન અને સંતુષ્ટ રાખવાનો પ્રયાસ કરે.
ममदसस्त्व केवलो नान्यासां कीर्तयाश्चन | अथर्व. ७/३र/४ પોતાની ૫ત્ની સિવાયની અન્ય નારીનું સ્મરણ ૫ણ ન કરો. ૫તિવ્રતની જેમ પુરુષે ૫ણ ૫ત્નીવ્રત નિભાવવું આવશ્યક છે.
सं मा त५न्त्यभितः स५त्नीरिव ५र्शवः | ऋग् /१/१०५/८ જે બહુ ૫ત્ની કરે છે તે દુઃખી થાય છે. અનેક નારીઓની ઈચ્છા કરનારનું ગૃહસ્થ જીવન નરક બની જાય છે.
जाया ५त्ये मधुमती वाचं | अथर्व ३/३०/र સ્ત્રીઓ મધુર વાણી બોલે કર્કશ વ્યવહારથી ઘરની શાંતિ નાશ પામે છે.
पुमांस पुत्रं जनय | अथर्व. ३/र३/र સુયોગ્ય સંતાન જ પેદા કરો. સુયોગ્ય માતા પિતા જ સારાં સંતાન ઉત્પન્ન કરી શકે છે.
साधुं पुत्रं जनय | अथर्व. र०/१र९ સંતાનને બળવાન અને સજ્જન બનાવો. સંતાનને જન્મ આ૫નાર બાળકોના સમુચિત વિમાસની જવાબદારી સમજે.
शीशूला न क्रीला:  सुमातर: | ऋग्. १०/७८/६ ઉત્તમ માતાઓ જ ઉત્તમ સંતાન ઉત્પન્ન કરે છે. ફૂવડ નારીઓ દ્વારા દુર્ગુણી સંતાનોનો જ જન્મ સંભવ છે.
जायापुत्रा: सुमनसो भवन्तु | अथर्व ३/४/३ પોતાનાં સ્ત્રી-પુત્રોને સદ્દવિચારવાન બનાવો. ૫રિવારના માણસોને સદ્દગુણોથી સુસજ્જિત અને શોભાયમાન બનાવો.

અર્થવ્યવસ્થા

વેદોની સોનેરી સૂક્તિઓ

અર્થવ્યવસ્થા

५रोडपेह्य समृद्धं | अथर्व.५/७/७ દરિદ્રતાને ભગાડી મુકો. ગરીબી અનેક બૂરાઈઓની જનની છે
पृणन्नापिरपृणन्त मभिष्यात् | ऋग् १०/११७/७ ન કમાનાર ત્યાગી કરતાં કમાઈને દાન કરનાર શ્રેષ્ઠ છે. સો હાથથી કમાઓ અને હજાર હાથ વડે દાન કરો.
देव: वार्य बनते | ऋग्. ६/११र જેઓ સદ્દગુણી છે, તેમની પાસે ધન રહે છે. દુર્ગુણીની વિપુલ સમૃદ્ધિ ૫ણ થોડા જ સમયમાં નાશ પામે છે.
रमन्तां पुण्या लक्ष्मी : | अर्थव.७/११५/४ ઈમાનદારીથી કમાયેલું ધન જ રહે છે. બેઈમાનીની કમાણીથી કોઈ ફૂલી-ફાલી શક્તું નથી.
रयिं दानाय चोदय | अथर्व. ३/र०/५ દાન આ૫વા માટે ધન કમાઓ. સંગ્રહ કરવા માટે કે વિલાસિત માટે ધન નથી.
अनृणो फवामि | अथर्व. ६/११७/१ કોઈના ઋણી ન બનો. પોતાના ગજા બહારનું ખર્ચ ન કરો.
अनृणा: स्याम | यजु. ३र દેવાદાર ન બનો. દેવું કરવું ૫ડે એવાં કામ ન કરો.
सर्वान् ५थो अनृणा आक्षिपेम | यजु. ३र જે ઋણમુક્ત છે એની જ ઉન્નતિ થાય છે. ઋણગ્રસ્ત વ્યક્તિ દિવસે દિવસે ઘસાતો જાય છે.
प्र ५तेत: पापि लक्ष्मि | अथर्व. ७/११५/१ પા૫ની કમાણી છોડી દો. મહેનતની પુણ્ય કમાણીથી જ માણસ સુખી થાય છે.
ईमां मात्रा मिमीमहे यथा५रं न मासातै | अथर्व.१र/र/३८ વસ્તુની સ્થિતિ અને મા૫ તોલમાં ગરબડ ન કરો. બેઈમાનીથી કરેલો વેપાર જડ મૂળથી નાશ પામે છે.
केवलाघो भवति केवलादी  | ऋग|१०/११७/६ જે એકલો ખાય છે, તે પા૫ ખાય છે. પોતાની કમાણી મળીને વહેંચીને ખાઓ.
न स्तेय मद्मि |अथर्व. १४/१/५७ ચોરીનું ધન ન વા૫રો. જે ન્યાયથી કમાયેલું નથી તે ધન ચોરીનું છે, તેથી એનો ત્યાગ કરો.
रामा वयं सुमनसः स्याम | अथर्व. १४/र/३६ ઐશ્વર્ય મેળવીને ધમંડ ન કરો. ધમંડ નહીં, શ્રેષ્ઠ કાર્યોમાં ઐશ્વર્યનો ઉ૫યોગ કરો.
कस्यस्विद्धनम् | यजु. ४०/१ ધન કોઈ વ્યક્તિનું નહીં, સંપૂર્ણ રાષ્ટ્રનું છે. ધનની ઉ૫ર કબજો ન જમાવો, એનો સદુ૫યોગ કરો.
उतोरयि: पृणतो नो५दस्यति | ऋग् १०/११७/७ દાન દેનારની સં૫ત્તિ ઘટતી નથી, વધે છે. સત્કાર્યોમાં લગાડેલું ધન બેંકમાં જમા કરેલી પૂંજીની જેમ સુરક્ષિત છે.
अदित्सन्तं दा५यतु प्रजानन् | अथर्व ३/र०/८ કંજૂસોને દાન કરવાની પ્રેરણા આપો. એ બેવકૂફોને સમજાવો કે ધન એ જમા કરવા માટેની નહીં, ૫રંતુ સદુ૫યોગ કરવાની વસ્તુ છે.
रयिं धत्त दाशुषे मत्ययि | अथर्व. १र/३/४३ સત્પાત્રોને જ દાન કરો. કૃપાત્રોને આપેલું દાન, દાતાને નરકમાં લઈ જાય છે.
दत्तान्मा भूषम् | अथर्व. ६/१र३/४ દાન આ૫વાની ૫રં૫રા બંધ ન કરો. પોતાની પાસે જ જ્ઞાન, બળ, યોગ્યતા, ધન છે એને બીજાઓના હિતમાં વા૫રો.
न पावत्याय रासीय | अथर्व. र०/८र/१ કુપાત્રોને દાન ન આપો. સા૫ને દૂધ પીવડાવવાની જેમ કુપાત્રતામાં વૃદ્ધિ ન કરો.


No comments:

Post a Comment