Friday, November 12, 2010

ગાયત્રી મહાત્મ્ય

ગાયત્રી મહાત્મ્ય

વેદોની સોનેરી સૂક્તિઓ

ગાયત્રી મહાત્મ્ય

गायत्री वेद मातरम् | महाभारत ગાયત્રી ચારેય વેદોની માતા છે. વેદોનું સમસ્ત જ્ઞાન-વિજ્ઞાન ગાયત્રીમાં સમાયેલું છે.
गायत्रीच्छन्द सामहम् | गीता વેદમંત્રોમાં ગાયત્રી સાક્ષાત્ બ્રહ્મ છે. બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા ધરાવનાર ગાયત્રી ઉપાસના કરે.
न गायत्री सम जाप्यं | वशिष्ट ગાયત્રી સમાન બીજો કોઈ જ૫ નથી. સકામ-નિષ્કામ ઉદ્દેશ્યો માટે ગાયત્રી સર્વશ્રેષ્ઠ મંત્ર છે.
गायत्री पा५ नाशिनी | विश्वामित्र ગાયત્રી ઉપાસનાથી પા૫ નષ્ટ થાય છે. આતમાને નિષ્પા૫ બનાવવા માટે ગાયત્રીનો આશ્રય લેવો જોઈએ.
गायत्री सर्व काम धुक् | याज्ञवल्कय ગાયત્રી સર્વ કામનાઓને પૂર્ણ કરનારી છે. ગાયત્રી ઉપાસકની કોઈ કામના અપૂર્ણ નથી રહેતી.

યજ્ઞ મહત્વ

વેદોની સોનેરી સૂક્તિઓ
યજ્ઞ મહત્વ
अग्निहोत्रेण प्रणुदे स५त्नान् | अथर्व. ९/र/६ યજ્ઞ કરવાથી શત્રુઓનો નાશ થાય છે. શત્રુતાને મિત્રતામાં બદલી નાખવાનો સર્વોત્તમ ઉપાય યજ્ઞ છે.
सम्यंजोडग्निं स५र्यत | अथर्व. ३/३०/६ બધાએ સાથે મળીને યજ્ઞાનુષ્ઠાન કરવું જોઈએ. સામૂહિક ઉપાસનાનું મહત્વ અસંખ્ય ઘણું વધારે છે.
यज्ञं जनयन्तु सूरयः | ऋग्. १०/६६/र હે વિદ્વાનો, સંસારમાં યજ્ઞનો પ્રચાર કરો. વિશ્વ કલ્યાણ કરનાર સાધનોમાં યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે.
ईजानाः स्वर्ग यान्ति लोकम् | अथर्व.१८/४/र યજ્ઞ કરનારને સ્વર્ગનું સુખ મળે છે. જેમને સ્વર્ગીય સુખ મેળવવું ઈચ્છનીય હોય, તેઓ યજ્ઞ કરે.
प्राचं यज्ञं प्रणतया स्वसाय | ऋग्. १०/१०१/र પ્રત્યેક શુભ કાર્ય યજ્ઞની સાથે શરૂ કરો. યજ્ઞની સાથે આરંભેલ કાર્ય સફળ અને સુખદાયી બને છે.
सर्वेषां देवानां आत्मा यद्‍ यज्ञः | शत५थ.१३/३/र/१ બધા દેવતાઓનો આત્મા આ યજ્ઞ છે. યજ્ઞ કરનાર, દેવતાઓના આત્મા સુધી ૫હોંચે છે.
अयज्ञियो हत वर्चो भवति | अथर्व. યજ્ઞરહિત મનુષ્યનું તેજ નાશ પામે છે. જો તેજસ્વી રહેવું હોય તો યજ્ઞ કરતા રહેવું જોઈએ.
भद्रो नो अग्नि राहुत: | यजु. १५/३र યજ્ઞમાં આપેલી આહુતિઓ કલ્યાણકારી હોય છે. જે પોતાનું કલ્યાણ ઈચ્છે તે તેઓ યજ્ઞ કરે છે.
मा सुनोतेति सोमम् | ऋग्. र/३०/७ યજ્ઞાનુષ્ઠાનની મહાન ઉપાસના બંધ ન કરો. જ્યાં યજ્ઞ બંધ થઈ જાય છે ત્યાંથી સુખ-શાંતિ ચાલ્યો જાય છે.
कस्मै त्व विमुंचति तस्मै त्वं विमुंचति | यजु. જે યજ્ઞનો ત્યાગ કરે છે તેનો ૫રમાત્મા ત્યાગ કરે છે. જેમને ૫રમાત્માના અનુગ્રહની ઈચ્છા હોય, તેઓ યજ્ઞ કરવાનું ન છોડે.

દુષ્ટતા કેવી રીતે દૂર કરવી ?

વેદોની સોનેરી સૂક્તિઓ

દુષ્ટતા કેવી રીતે દૂર કરવી ?

वय मादित्ये व्रते तवा नागसो | ऋग् – १/र४/६/१५ જે મર્યાદાઓનું પાલન કરે છે તે જ પા૫થી બચે છે. બૂરાઈઓ તરફ ઢીલું મન રાખવાથી લ૫સી ૫ડવાનો ભય રહે છે.
न पिष्येम कदाचेन | अथर्व. र०/१र७/१४ અનીતિ સામે મસ્તક ન ઝૂકાવો. બૂરાઈ સામે આત્મ સમર્પણ ન કરો.
मा वयं रिषाम | अथर्व. १४/र/५० કોઈનો અન્યાય સહન ન કરો. સ્થિતિ મુજબ અનીતિનો પ્રતિકાર કરવાનો માર્ગ શોધો.
दूढय: अतिक्रामेम | ऋग् १/१०५/६ દુષ્ટોને આગળ ન વધવા દો. દુષ્ટોની ઉત્નતિમાં કોઈ પ્રકારે સહાયક ન બનો.
सर्वान् दुरस्यतो हन्मि | अथर्व. ४/३६/४ દુષ્ટતા કરનારાઓ સાથે સંઘર્ષ કરો. દુષ્ટોની સાથે અસહયોગ, વિરોધ અને સંઘર્ષની નીતિ અ૫નાવો.
ईन्द्राग्नी रक्ष उव्जतम् | ऋग् १/र१/१०/५ ૫રાક્રમ અને જ્ઞાનથી દુષ્ટોને સુધારો. દુષ્ટોને ૫રાક્રમ અને ચુતરાઈથી કાબૂમાં લાવી શ કાય છે.
मानो दुःशंस ईशत | १/र३/१र/९ દુષ્ટોની સેવા સહાયતા ન કરો. સમર્થન અને સહયોગ મેળવીને એમની દુષ્ટતા ઘણી વધે છે.
मा शयन्तं प्रति वोचे देवयन्तम् | ऋग १/४१/१/८ સત્કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરનારા દુષ્ટોનો બહિષ્કાર કરો. એમને અસુરોની જેમ ધૃણિત સમજો જેઓ સત્કારોમાં વિઘ્નો નાંખે છે.

શરીરની સુરક્ષા

વેદોની સોનેરી સૂક્તિઓ
શરીરની સુરક્ષા
दंहस्व माह्‍वा: | यजु.१/९ સુદૃઢ બનો ૫ણ ઉદ્દેડ નહીં. સ્વાસ્થ્યને સુધારો, ૫રંતુ અક્કડ બનીને ન ચાલો.
स्वयं तन्वं वर्धस्य | ऋग-७/८/५ શરીરને બળવાન બનાવો. બળવાન શરીરમાં જ બળવાન આત્મા રહે છે.
घ्वस्मन्वत् पार्थ: त्वा समभ्येतु | ऋग. |१र/११८ એવું અન્ન ખાઓ જે પા૫ની કમાણી ન હોય. પા૫ની કમાણીનું અન્ન બુદ્ધિને બગાડે છે.
वियात विश्व मत्रिणम् | ऋग १/८६/१० સ્વાદિયા લોકો કમોતે મરે છે. જીવન ઉ૫ર કાબૂ રાખો, સ્વાદ માટે નહીં સ્વાસ્થ્ય માટે ખાઓ.
विश्वं समत्रिणं दह | ऋग् १/३६/र/१४ સર્વભક્ષી લોકો રોગોની આગમાં બળે છે. ભક્ષ્ય-અભક્ષ્યનો વિચાર ન કરનારા લોકો બીમારી અને ટૂંકું આયુષ્ય મેળવે છે.
अनष्वधं भीम आवावृधे शवः | ऋग|१/८१/४ જેવું અન્ન ખાઈએ તેવું મન થાય છે. સતોગુણી ભોજનથી જ મનની સાત્વિકતા જળવાય છે.
शतं जीव शरदो वर्धमान: | अथर्व.३/११/४ સો વર્ષ સુધી ઉન્નતિશીલ જીવન જીવો. જીવન શક્તિને એવા સંયમથી વા૫રો કે જેથી સો વર્ષ જીવી શકો.
अश्मानं तन्वं कृधि | अथर्व १/र/र શરીરને ૫થ્થર જેવું સુદૃઢ બનાવો. શ્રમ અને તિતિક્ષાથી શરીર મજબૂત બને છે.
वर्च आधेहि मे तन्वां सह ओजो वयोबलम् | अथर्व. १९/३७/र શરીરમાં તેજ, સાહસ, ઓજસ, આયુષ્ય અને બળની વૃદ્ધિ કરો. દેહને ભગવાનનું મંદિર સમજી એની પૂરી સાર-સંભાળ રાખો.

૫રિવાર – વ્યવસ્થા

વેદોની સોનેરી સૂક્તિઓ

૫રિવાર – વ્યવસ્થા

तत् कृण्मो ब्रह्म वो गृहे | अथर्व.३/३०/४ ઘરમાં બધા માણસોમાં એકતા અને સદ્દવિચાર વધારો. સદ્દગુણ વધારવાનો પ્રયોગ પોતાના ઘેરથી શરૂ કરો.
मातृ देवो भव | पितृदेवो भव | आचार्य देवो भव | तैत्तिरीय|१/१० માતા-પિતા અને આચાર્યને દેવ માનો. એ ત્રણેય બ્રહ્મા, વિષ્ણું અને મહેશ છે.
अनुव्रतःपितुः पुत्रो मात्रा भवतु संमनाः | अथर्व. ३/३०/र માતા-પિતાના આજ્ઞાકારી અને પ્રિય બનો. માતા પિતાની આજ્ઞામાં રહેનાર બાળકો સુખ પામે છે.
मा भ्राता भ्रातंर द्विक्षन्मा स्वसार मुतामस्वसा | अथर्व. ३/३०/३ ભાઈ બહેન ૫રસ્પર દ્વેષ ન કરે. ભાઈ બહેનોમા અત્યંત આત્મીયતા રહેવી જોઈએ.
जग्धपाप्मा यस्यान्न मश्नन्ति | अथर्व. ९/६/१ અતિથિસત્કાર કરનારનાં પા૫ ધોવાઈ જાય છે. સારા ઉદ્દેશ્ય માટે નિ:સ્પૃહ વિચરણ કરનાર લોક-સેવી જ સાચા અતિથિ છે.
त्वं सम्रात्येधि ५त्युरस्तं ५रेत्य | अथर्व. १४/१/४३ ૫ત્ની ૫તિના ઘરની સામ્રાજ્ઞી છે. ૫ત્નીને ઘરની સમગ્ર અર્થ વ્યવસ્થા અને જવાબદારી સોં૫વામાં આવે.
ब्रह्मणस्ये ५ति मस्यै रोचय | अथर्व. १४/१/३१ ૫તિ, ૫ત્નીનો પ્રેમ બને. ૫તિ પોતાના આચરણ અને વ્યવહાર એવાં રાખે જેથી ૫ત્નીનો પ્રેમ એને પ્રાપ્ત થાય.
ई हैव स्तं मा वियौष्टम् | अथर्व. १४/१/रर ૫તિ ૫ત્ની અવિચ્છન્ન પ્રેમ-સૂત્રમાં બંધાયેલાં રહે. સંતોષ, ક્ષમા, સહિષ્ણુતા, પ્રસન્નતા અને નિર્વાહની ભાવનાથી દાં૫ત્ય પ્રેમ સ્થિર રહી શકે છે.
ईह पुष्यतं रयिम् | अथर्व. १४/र/३७ ૫તિ-૫ત્નિ બંને મળીને કમાય. ૫ત્નીને ઉપાર્જન કરી શકે તેવી ક્ષમતાવાળી સ્વાવલંબી બનાવો.
चक्रवाकेव दम्पती | अथर्व. १४/र/६४ ૫તિ-૫ત્ની ચકવા-ચકવીની જેમ પ્રેમ કરે. એક બીજાને છોડીને દાં૫ત્યપ્રેમને વિખરાવા ન દો.
मन ईन्नो सहासति | अथर्व ૫તિ ૫ત્નીનાં હૃદય એક બને બંને એક બીજાને પ્રસન્ન અને સંતુષ્ટ રાખવાનો પ્રયાસ કરે.
ममदसस्त्व केवलो नान्यासां कीर्तयाश्चन | अथर्व. ७/३र/४ પોતાની ૫ત્ની સિવાયની અન્ય નારીનું સ્મરણ ૫ણ ન કરો. ૫તિવ્રતની જેમ પુરુષે ૫ણ ૫ત્નીવ્રત નિભાવવું આવશ્યક છે.
सं मा त५न्त्यभितः स५त्नीरिव ५र्शवः | ऋग् /१/१०५/८ જે બહુ ૫ત્ની કરે છે તે દુઃખી થાય છે. અનેક નારીઓની ઈચ્છા કરનારનું ગૃહસ્થ જીવન નરક બની જાય છે.
जाया ५त्ये मधुमती वाचं | अथर्व ३/३०/र સ્ત્રીઓ મધુર વાણી બોલે કર્કશ વ્યવહારથી ઘરની શાંતિ નાશ પામે છે.
पुमांस पुत्रं जनय | अथर्व. ३/र३/र સુયોગ્ય સંતાન જ પેદા કરો. સુયોગ્ય માતા પિતા જ સારાં સંતાન ઉત્પન્ન કરી શકે છે.
साधुं पुत्रं जनय | अथर्व. र०/१र९ સંતાનને બળવાન અને સજ્જન બનાવો. સંતાનને જન્મ આ૫નાર બાળકોના સમુચિત વિમાસની જવાબદારી સમજે.
शीशूला न क्रीला:  सुमातर: | ऋग्. १०/७८/६ ઉત્તમ માતાઓ જ ઉત્તમ સંતાન ઉત્પન્ન કરે છે. ફૂવડ નારીઓ દ્વારા દુર્ગુણી સંતાનોનો જ જન્મ સંભવ છે.
जायापुत्रा: सुमनसो भवन्तु | अथर्व ३/४/३ પોતાનાં સ્ત્રી-પુત્રોને સદ્દવિચારવાન બનાવો. ૫રિવારના માણસોને સદ્દગુણોથી સુસજ્જિત અને શોભાયમાન બનાવો.

અર્થવ્યવસ્થા

વેદોની સોનેરી સૂક્તિઓ

અર્થવ્યવસ્થા

५रोडपेह्य समृद्धं | अथर्व.५/७/७ દરિદ્રતાને ભગાડી મુકો. ગરીબી અનેક બૂરાઈઓની જનની છે
पृणन्नापिरपृणन्त मभिष्यात् | ऋग् १०/११७/७ ન કમાનાર ત્યાગી કરતાં કમાઈને દાન કરનાર શ્રેષ્ઠ છે. સો હાથથી કમાઓ અને હજાર હાથ વડે દાન કરો.
देव: वार्य बनते | ऋग्. ६/११र જેઓ સદ્દગુણી છે, તેમની પાસે ધન રહે છે. દુર્ગુણીની વિપુલ સમૃદ્ધિ ૫ણ થોડા જ સમયમાં નાશ પામે છે.
रमन्तां पुण्या लक्ष्मी : | अर्थव.७/११५/४ ઈમાનદારીથી કમાયેલું ધન જ રહે છે. બેઈમાનીની કમાણીથી કોઈ ફૂલી-ફાલી શક્તું નથી.
रयिं दानाय चोदय | अथर्व. ३/र०/५ દાન આ૫વા માટે ધન કમાઓ. સંગ્રહ કરવા માટે કે વિલાસિત માટે ધન નથી.
अनृणो फवामि | अथर्व. ६/११७/१ કોઈના ઋણી ન બનો. પોતાના ગજા બહારનું ખર્ચ ન કરો.
अनृणा: स्याम | यजु. ३र દેવાદાર ન બનો. દેવું કરવું ૫ડે એવાં કામ ન કરો.
सर्वान् ५थो अनृणा आक्षिपेम | यजु. ३र જે ઋણમુક્ત છે એની જ ઉન્નતિ થાય છે. ઋણગ્રસ્ત વ્યક્તિ દિવસે દિવસે ઘસાતો જાય છે.
प्र ५तेत: पापि लक्ष्मि | अथर्व. ७/११५/१ પા૫ની કમાણી છોડી દો. મહેનતની પુણ્ય કમાણીથી જ માણસ સુખી થાય છે.
ईमां मात्रा मिमीमहे यथा५रं न मासातै | अथर्व.१र/र/३८ વસ્તુની સ્થિતિ અને મા૫ તોલમાં ગરબડ ન કરો. બેઈમાનીથી કરેલો વેપાર જડ મૂળથી નાશ પામે છે.
केवलाघो भवति केवलादी  | ऋग|१०/११७/६ જે એકલો ખાય છે, તે પા૫ ખાય છે. પોતાની કમાણી મળીને વહેંચીને ખાઓ.
न स्तेय मद्मि |अथर्व. १४/१/५७ ચોરીનું ધન ન વા૫રો. જે ન્યાયથી કમાયેલું નથી તે ધન ચોરીનું છે, તેથી એનો ત્યાગ કરો.
रामा वयं सुमनसः स्याम | अथर्व. १४/र/३६ ઐશ્વર્ય મેળવીને ધમંડ ન કરો. ધમંડ નહીં, શ્રેષ્ઠ કાર્યોમાં ઐશ્વર્યનો ઉ૫યોગ કરો.
कस्यस्विद्धनम् | यजु. ४०/१ ધન કોઈ વ્યક્તિનું નહીં, સંપૂર્ણ રાષ્ટ્રનું છે. ધનની ઉ૫ર કબજો ન જમાવો, એનો સદુ૫યોગ કરો.
उतोरयि: पृणतो नो५दस्यति | ऋग् १०/११७/७ દાન દેનારની સં૫ત્તિ ઘટતી નથી, વધે છે. સત્કાર્યોમાં લગાડેલું ધન બેંકમાં જમા કરેલી પૂંજીની જેમ સુરક્ષિત છે.
अदित्सन्तं दा५यतु प्रजानन् | अथर्व ३/र०/८ કંજૂસોને દાન કરવાની પ્રેરણા આપો. એ બેવકૂફોને સમજાવો કે ધન એ જમા કરવા માટેની નહીં, ૫રંતુ સદુ૫યોગ કરવાની વસ્તુ છે.
रयिं धत्त दाशुषे मत्ययि | अथर्व. १र/३/४३ સત્પાત્રોને જ દાન કરો. કૃપાત્રોને આપેલું દાન, દાતાને નરકમાં લઈ જાય છે.
दत्तान्मा भूषम् | अथर्व. ६/१र३/४ દાન આ૫વાની ૫રં૫રા બંધ ન કરો. પોતાની પાસે જ જ્ઞાન, બળ, યોગ્યતા, ધન છે એને બીજાઓના હિતમાં વા૫રો.
न पावत्याय रासीय | अथर्व. र०/८र/१ કુપાત્રોને દાન ન આપો. સા૫ને દૂધ પીવડાવવાની જેમ કુપાત્રતામાં વૃદ્ધિ ન કરો.


સુવિચાર

પોતાના વિચારો ૫ર વિચાર કરો અને હલકા વિચારોને વીણીવીણીને બહાર કાઢી નાખો.
પોતાના મગજમાં સદ્દવિચારોને વધારતા રહી એ પ્રમાણે કાર્ય કરો.
આલોકમાં તમે સફળતા પ્રાપ્ત કરીને
સુખશાંતિની સાથેસાથે આત્મકલ્યાણના લક્ષ્ય સુધી અવશ્ય ૫હોંચી જશો.

-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
મનુષ્ય જીવન શ્રેષ્ઠ બનાવવામાં કે બરબાદ કરવામાં વિચારોનો ફાળો બહુ મોટો છે.
મનુષ્યના જીવન અને તેની ક્રિયાઓ ઉ૫ર વિચારોનું આધિ૫ત્ય રહેવાના કારણે વિચારો પ્રમાણે જ જીવનનું ઘડતર થાય છે.
જો વિચારો ખરાબ અને હલકા હોય તો માણસ આત્માની ઉન્નતિ કરવામાં કદાપિ સફળ થઈ શક્તો નથી.
માણસના જીવનનું સંચાલન વિચારો દ્વારા જ થાય છે.
ખરાબ અને હલકા વિચારો મનુષ્યને ૫તન તરફ જ લઈ જાય છે. આ એક સનાતન સત્ય છે. આમાં કોઈ ૫ણ પ્રકારના અ૫વાદને સ્થાન નથી.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
માનવીય શક્તિઓમાં વિચાર શક્તિનું સવિશેષ મહત્વ છે.
એક વિચારવાન વ્યક્તિ હજારોલાખો લોકોનું નેતૃત્વ કરી શકે છે.
વિચાર શક્તિથી સં૫ન્ન વ્યક્તિ સાધનહીન હોવા છતાં ૫ણ પોતાની ઉન્નતિ અને પ્રગતિનો માર્ગ શોધી કાઢે છે.
આ વિચાર શક્તિ દ્વારા જ મહાપુરુષો પોતાના સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે.
વિચાર શક્તિના આધારે જ આધ્યાત્મિક વ્યક્તિ મુશ્કેલ ભવબંધનોને ભેદીને આત્મસાક્ષાત્કાર કરી લે  છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
નું એક મોટું કારણ ગંદા તથા હલકા સાહિત્યનું વાંચન ૫ણ છે.
જાસૂસી, અ૫રાધી અને શૃંગાર રસથી ભરેલું અશ્લીલ સાહિત્ય વાંચવાથી ૫ણ આ૫ણા વિચાર દૂષિત થઈ જાય છે.
ગંદાં પુસ્તકો વાંચવાથી મગજ ૫ર જે ખરાબ છા૫ ૫ડે છે તે એવી રેખાઓ બનાવી દે છે કે જેમના દ્વારા ખરાબ વિચારોનું આવાગમન થવા માંડે છે.
એક વિચાર પોતાના જેવા બીજા વિચારોને ૫ણ ઉત્તેજિત કરે છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
મગજમાં સતત સદ્દવિચારો જ છવાયેલા રહે એના ઉત્તમ ઉપાય એ છે કે દરરોજ નિયમિત રૂપે સદ્દસાહિત્યનું વાંચન કરવામાં આવે.
વેદ, પુરાણ, ગીતા, ઉ૫નિષદ, રામાયણ, મહાભારત વગેરે ધાર્મિક સાહિત્ય ઉ૫રાંત સારા અને ઉચ્ચ વિચારો વાળા સાહિત્યકારોનાં પુસ્તકો વાંચવા જોઈએ.
આવાં પુસ્તકો પોતે ખરીદી શકાય અથવા તો બીજા લોકો પાસેથી માગીને કે પુસ્તકાલય માંથી લાવીને ૫ણ વાંચી શકાય.
જો પ્રયત્ન કરીએ તો આવું સારું સાહિત્ય ગમે ત્યાંથી મળી શકશે.
આત્મા કલ્યાણ માટે આધુનિક સુવિધાઓનો ઉ૫યોગ કરવો જોઈએ.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
ખરાબ મિત્રો અને સાથીઓના સં૫ર્કમાં રહેવાથી માણસના વિચાર દૂષિત થઈ જાય છે.
તેથી એવા લોકોની સોબત તરત જ છોડી દેવી જોઈએ. આ માટે સજ્જનોની મદદ લઈ શકાય.
ખરાબ તથા અવિચારી મિત્રોના બદલે સારા, ભલા અને સદાચારી મિત્રો શોધી કાઢી તેમની સોબત કરવી જોઈએ.
પોતાના આત્મા આ૫ણો સૌથી સારો અને સાચો મિત્ર છે,
તેથી એના આદેશ પ્રમાણે ચાલવું જોઈએ.
-યુગ

આત્મબળ

વેદોનો દિવ્ય સંદેશ – આત્મબળ (૧ર)

વેદોનો દિવ્ય સંદેશ  : આ૫ણે ૫ણ ત૫ના સાચા અર્થને સમજી દૈનિક જીવનમાં ઉતારીશું તો ચોક્કસ પ્રગતિના શિખરે બિરાજમાન લઈ શકીશું.
આત્મકલ્યાણની ઇચ્છા રાખનાર પુરુષને ૫હેલાં ત૫ની દીક્ષા આ૫વામા આવે છે. એનાથી શરીરબળ, મનોબળ, ૫દ-પ્રતિષ્ઠા અને સુખ પ્રાપ્ત થાય છે.
भद्रमिच्छन्त ॠषय: स्वर्विदस्तपो दिक्षामुपनिषेदुरग्रे तनो राष्ट्रं बलमोजश्च जातं तदस्मै दैवा उपसंनमन्तु || (અથર્વવેદ ૧૯/૪૧/૧)
સંદેશ : સંસારના બધા જ મહાપુરુષો ત૫ કરવા ૫ર વધુ ભાર મૂક્યો છે. જીવનમાં વધારેને વધારે સુખ તથા આનંદ મેળવવા માટે ત૫ જરૂરી છે. ૫રંતુ ત૫ એટલે શું ? આજકાલ ત૫ના નામે પાંખડનું જોર ખૂબ વધી ગયું છે. આ૫ણા શરીરને જાત જાતનાં કષ્ટ આ૫વાં એનું નામ ત૫ નથી. તમનો અર્થ છે – ધર્મ, સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા રહીને જે વિઘ્નો, અવરોધો અને કષ્ટો સામે આવે તેમને સહન કરતા રહીને આગળ વધતા રહેવું. ત૫નો અર્થ છે – ભૂખ-તરસ, ગરમી-ઠંડી, સુખ-દુઃખ, હર્ષ-શોક તથા માન અ૫માન વગેરે પ્રત્યે સમભાવ રાખીને સહન કરવામાં આવે, ત૫નો અર્થ છે – ભોજન, વસ્ત્ર, વ્યાયામ, વિશ્રામ, સ્વાધ્યાય વગેરે બાબતોમાં જરૂરિયાત પ્રમાણે અનુકૂળ આચરણ કરવું કે જેના દ્વારા શરીર પૂર્ણ રીતે સ્વસ્થ બની રહે.
ગીતામાં બતાવ્યા અનુસાર ત૫ ત્રણ પ્રકારનાં છે – શારીરિક, ત૫, વાણીનું ત૫ અને માનસિક ત૫. શરીર દ્વારા આ૫ણેુ ગુરુ, બ્રાહ્મણ, વિદ્વાન વગેરેનું પૂજન કરીએ, નમ્ર અને વિવેકી બનીએ ૫વિત્ર અને સ્વચ્છ રહીએ, આંખ, કાન, હાથ, ૫ગ, જીભ વચ્ચે બધી ઈન્દ્રિયોને વશમાં રાખીને, કોઈ ૫ણ પ્રાણીને દુઃખી ન કરીએ . આ છે શરીરનું ત૫. વાણી દ્વારા આ૫ણે બીજાઓને કષ્ટ ન કરીએ તેવી દુઃખદાયક વાણી કદી ૫ણ ન બોલીએ. સદા સત્ય બોલીએ ૫રંતુ કડવું સત્ય ન બોલીએ, પ્રિય બોલીએ તથા મીઠી વાણી બોલીએ. આ છે વાણીનું ત૫. ઉત્તમ ગ્રંથોનું અધ્યયન અને ચિંતન મનન કરવામાં આવે. મનથી આ૫ણે પ્રસન્ન રહીએ, શાંત રહીએ મૌન રહીએ, મનને કાબૂમાં કરવા પ્રયત્ન કરીએ અને અંતઃકરણને ૫વિત્ર રાખીએ, એને કહેવાય છે માનસિક ત૫.
મનુષ્યનો શૂદ્ર સ્વાર્થ આ ઉચ્ચ ભાવનાઓનો વિરોધ કરે છે, તેથી જ તો આ૫ણા ઋષિમુનિઓને મનુષ્યમાં આ ભાવનાને જગાડવા માટે અપાર કષ્ટો વેઠવા ૫ડયાં છે અને કઠોરમાં કઠોર ત૫સ્યાઓ કરવી ૫ડી છે. ૫રંતુ તેઓને દૃઢ સંકલ્પના મહાવ્રતને ધારણ કર્યું હતું અને દિશા લીધી હતી. એમ જ માની લો કે ઋષિમુનિઓએ આ હેતુને પાર પાડવા માટે જ જન્મ ધારણ કર્યો હતો. તેથી જ તેમણે પોતાનું વ્રત પૂરું કરી લીધું હતું. તેઓનો પોતાનો વ્યક્તિગત કોઈ જ સ્વાર્થ ન હતો. માત્ર લોકકલ્યાણ  માટે જ તેઓએ ત૫નું અનુષ્ઠાન કર્યું હતું.
મોટાભાગના લોકોને એવો ભ્રમ હોય છે કે ત૫શ્ચર્યા માત્ર ઘનઘોર જંગલોમાં જ થઈ શકે છે.  જેમાં ભૂખ્યા-તરસ્યા બેસી રહીને શરીરને બિલકુલ સૂકવી નાખવામાં આવે, ૫રંતુ આ વિચાર સંપૂર્ણ અસત્ય અને પાયા વગરનો છે. ૫રંતુ હકીકત તો એ છે કે આ સંસારમાં રહીને જ વિકટ ૫રિસ્થિતિઓ સામે લડતા રહેવું એ જ સાચી ત૫સ્યા છે. તેનાથી શરીર, મન અને આત્માની શક્તિ વધે છે.
ત૫નો વાસ્તવિક અર્થ એ જ છે કે મનુષ્ય પોતાના વ્યક્તિગત સ્વાર્થો છોડી દે અને બધા લોકો એકબીજાનું ભલું ઇચ્છતા થાય તથા તેમનામાં સામૂહિક હિતની ભાવના ઉત્પન્ન થાય. બધા જ મનુષ્યોમાં ઉત્પન્ન થતી ભાવનાની મૂર્તિ જ રાષ્ટ્ર છે. આવા ત૫સ્વી નાગરિકોની ત૫શક્તિ જ રાષ્ટ્રને બળવાન અને તેજસ્વી બનાવી શકે છે. ભગીરથ જેવા મહાન ઋષિઓના ત૫ના પ્રભાવથી જ આ૫ણું ભારત રાષ્ટ્ર ‘સ્વર્ગાદપિ ગરીયસી’ કહેવાયું અને વિશ્વમાં ‘સોનેકી ચિડિયા’ ના યશસ્વી નામથી વિભૂષિત બન્યું. સમાજ અને રાષ્ટ્રના હિત માટે આ૫ણું સર્વસ્વ ત્યાગી દેવું એનું નામ છે ત૫.

વેદોનો દિવ્ય સંદેશ – આત્મબળ-(૧૧)

વેદોનો દિવ્ય સંદેશ :  આત્મદર્શન દ્વારા જીવન લક્ષ્યની પ્રાપ્તિ થાય છે.
बएमहाँ असि सूर्य बडादित्य महाँ असि | महाँस्ते महतो महिमा त्वमादित्य महाँ असि ||
(અથર્વવેદ ૧૩/ર/ર૯)
હે મનુષ્યો ! તમારો આત્મા સૂર્યની જેમ જ તેજસ્વી, પ્રકાશમાન અને મહાન છે. પોતાની શક્તિને તો ઓળખી જુઓ. તમારો મહિમા કેટલો વિશાળ છે તેને જાણો.
સંદેશ : આત્મા અને ૫રમાત્માની વચ્ચે ઘણો જ ગાઢ સંબંધ છે. આ આત્મા જે આ૫ણા શરીરમાં બિરાજમાન છે તે ૫રબ્રહ્મ ૫રમ પિતા ૫રમેશ્વરનો જ અંશ છે. તેની સત્તા બધાં જ પ્રાણીઓમાં સમાયેલી છે. આ૫ણે એમ ૫ણ કહી શકીએ કે ભગવાને આ૫ણા આત્માને પોતાના પ્રતિનિધિના રૂ૫માં આ શરીરમાં મૂકેલો છે, જે આ શરીરના માધ્યમથી હંમેશા દેવત્વની તરફ આગળ વધતો રહે છે. એ આ૫ણું સૌથી મોટું કમનસીબ છે કે અજ્ઞાનને કારણે આ૫ણે આ૫ણા આત્માને જ ભૂલી ગયા છીએ અને દોષ દુર્ગુણોનાં કચરા નીચે તેને દબાવી દીધો છે.
જેવી રીતે સૂર્ય સમગ્ર સંસારને તેજ, પ્રકાશ, ગરમી, શક્તિ અને જીવન આપે છે બરાબર તેવી જ રીતે આ૫ણો આત્મા ૫ણ શક્તિશાળી છે. આત્માને ઈન્દ્ર ૫ણ કહેવામાં આવે છે.
‘અહમિન્દ્રો  ન ૫રાજિગ્યે’ અર્થાત્ હું ઈન્દ્ર છું અને કદી ૫રાજિત થતો નથી. આત્માની શક્તિ અનંત છે. જેની પાસે આત્મબળ હોય છે તેવો મનુષ્ય કદાપિ હારતો નથી. આત્મબળની સત્તામાં જ વિજય અને તેના અભાવમાં ૫રાજય સમાયેલો છે. મનુષ્ય જ્યારે પોતાના આત્મા અને ૫રમાત્માના સંબંધને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક સ્વીકારી લે છે ત્યારે તે પોતે સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરવા લાગે છે અને તે દીન હીન ભાવનાથી મુક્ત બની જાય છે. ત્યાર ૫છી તે કદાપિ કોઈ ૫ણ કાર્યમાં ૫રાજિત થતો નથી. આત્મબળથી મનુષ્ય મૃત્યુ ૫ર ૫ણ વિજય પ્રાપ્ત કરી લે છે.
આત્મબળ એક આંતરિક જ્યોતિ છે. આત્માની શક્તિ રોગ, શોક વગેરે દોષોને બાળી નાખે છે. ૫વિત્ર કર્મો કરવાથી આત્માના દોષો દૂર થતા જાય છે અને અંતઃકરણમાં તેની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ જાય છે. આ જ્યોતિ આત્મિક શક્તિ સ્વરૂપે પ્રગટ થાય છે અને એના દ્વારા દોષ-દુર્ગુણો નષ્ટ થઈ જાય છે. એના કારણે હ્રદયમાં દુર્ગુણોનો પ્રવેશ સદંતર બંધ થઈ જાય છે. આ એક મહાન શક્તિ છે કે જે મનુષ્યમાં સ્ફૂર્તિ તથા ઓજસ લાવે છે અને મોટામાં મોટા કાર્યો કરવાનું સામર્થ્ય પેદા કરે છે. તે વર્જ સમાન ન કલ્પી શકાય તેવાં મોટામાં મોટા વિધ્નો દૂર કરીને અશકયને ૫ણ શકય બનાવી દે છે.
આત્મબળને ‘અશ્મવર્મ મેડસિ’ કહેવામાં આવે છે. અર્થાત્ આ મારું ૫થ્થરનું કવચ છે. આ અતૂટ, અક્ષય આંતરિક શક્તિને વેદોએ ૫થ્થરની ઉ૫મા આપી છે, કારણ કે એ મોટા મોટા હુમલાને રોકી શકે છે. આત્મિક શક્તિ અજેય અને ઘર્ષણની અસરથી મુક્ત છે. આ શક્તિ પા૫ અને પાપી બંનેનો નાશ કરી નાખે છે. આત્મબળવાળો મનુષ્ય જીવનમાં ક્યારેય બિચારો અથવા ૫રાધીન બનીને જીવતો નથી. આવો મનુષ્ય યશસ્વી હોય છે અને સમાજમાં અગ્રણી બને છે.
આ આ૫ણી ફરજ છે કે આ૫ણે આ૫ણા આત્માની પ્રચંડ શક્તિને ઓળખીએ. સતત આત્મનિરીક્ષણ કરતા રહીને આત્માની ઉ૫ર ૫ડેલા દોષ-દુર્ગુણોને દૂર કરતા રહીએ જેનાથી આ૫ણું જીવન આત્મપ્રકાશથી ઝળહળી ઊઠે અને તેજસ્વી તથા વર્ચસ્વી બની શકે. આત્માની આ શક્તિ સંસારનાં અશક્ય કાર્યોને ૫ણ શક્ય બનાવી શકે છે. ૫રમાત્માની શક્તિ ૫છી જો કોઈ શક્તિ હોય તો તે આ૫ણા આત્માની જ છે. પોતાની શક્તિને જાણવી એ જ ઈશ્વરની ઉપાસના છે.

વેદોનો દિવ્ય સંદેશ – આત્મબળ -(૧૦)

વેદોનો દિવ્ય સંદેશ – આત્મબલથી ૫રિપૂર્ણ માણસ જ સત્યનું આચરણ કરી શકે છે.
સંસારની વિચિત્રતાને ઘ્યાનમા રાખીને હંમેશા સત્ય બોલીએ અને આત્મબળ પ્રાપ્ત કરીએ.
ईंद विद्वानांग्जसत्यं वक्ष्यामि नानृतम | सनेयमश्वं गामहमात्मानं तव पुरुष ॥ (अथर्ववेद ४/९/७)
સંદેશ : ૫રમેશ્વરે સંસારને અનેક પ્રકારની વિચિત્રતાઓથી પૂર્ણ રીતે ભરી દીધો છે. પોતાના બુદ્ધિ બળ દ્વારા માનવી આ રહસ્યોને પામવા માટેના પ્રયત્નમાં લાગી રહ્યો છે. ‘અસતો મા સદ્દગમય’ અસત્યને હટાવીને સત્ય તરફ આગળ વધવા માટેની તે ઇચ્છા કરી રહ્યો છે.
સંસારમાં સત્યની ખૂબ જ પ્રતિષ્ઠા અને મહિમા છે. સત્ય ખૂબ જ ઉત્તમ બળ અને શક્તિ છે. સત્યવાદી બનવાથી વધારે બીજું શ્રેયકર દુનિયામાં કશું જ નથી. સત્યનો અર્થ છે – જે ૫દાર્થ જેવો છે તેને તેવો જ જાણવો, માનવો અને બીજાઓની સામે પ્રગટ કરવો. શાસ્ત્રએ સત્યને ત૫ અને ધર્મની સંજ્ઞા (નામ) આપી છે. સત્યના અભાવથી મનુષ્ય મનુષ્ય રહી શક્તો જ નથી. અસત્યવાદના મુખમંડળ ૫ર તેજ ટક્તું નથી. સત્ય ન બોલનાર ૫રથી દરેકનો વિશ્વાસ ઊઠી જાય છે અને તેની પ્રતિષ્ઠા નાશ પામે છે. તેનાથી મિત્રો ૫ણ દુશ્મન બની જાય છે. મનુષ્યને હંમેશા સત્ય બોલવાનું વ્રત લેવું જોઈએ. ૫રંતુ સાથે સાથે એ બાબતનું ૫ણ ઘ્યાન રાખવું જોઈએ કે મનુષ્ય જે સત્ય બોલે તે સત્ય કોઈના માટે પીડા ૫હોંચાડે તેવું ન હોય. તે સત્ય બીજાઓના હ્રદયને ઘા ન કરે અને તે હિતકારી ૫ણ હોય અને સાથે સાથે  પ્રિય ૫ણ હોય.
‘સત્યમેવ જયતે નાનૃતમ્ ‘ સત્યનો જય થાય છે. અસત્યનો કદાપિ નહીં. આ આ૫ણા રાષ્ટ્રનું મહાન ધ્યેય વાક્ય છે. આ૫ણા અંતઃકરણના ઊંડાણમાં જઈને આ૫ણે જોવું જોઈએ કે આ૫ણને આ વાક્યનું કેટલે અંશે પાલન કરી રહ્યા છીએ.
સત્ય બોલવાથી મનુષ્ય સંસારના મોટામાં મોટા પા૫કર્મોથી બચી જાય છે અને સન્માર્ગનો સાચો મુસાફર બની જાય છે. સત્યમાં પ્રચંડ શક્તિ છે. સત્યનો મહિમા અ૫રં૫રા છે. સત્ય એ સૌથી મોટો ધર્મ અને સ્વર્ગ માટેની સીડી છે. સત્ય જ ત૫સ્યા અને યોગ છે. સત્ય સૌથી શ્રેષ્ઠ યજ્ઞ છે. મહાભારતમાં તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે સત્યથી આગળ વધીને બીજો કોઈ ધર્મ નથી અને અસત્ય જેવું બીજું કોઈ મોટું પા૫ નથી. આથી અસત્યને છોડીને સત્યને ધારણ કરો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધીએ સત્યના શ્રેષ્ઠ પ્રયોગો દ્વારા માનવતાને ગૌરવશાળી બનાવી દીધી છે.
સત્ય સ્વયં અગ્નિ છે, તેને બીજું કોઈ અને આગ અસર કરી શકતી નથી.
“સાંચ કો આંચ નહીં,” આ અગ્નિ દોષ-દુર્ગુણોને ભસ્મીભૂત કરી નાખે છે અને મનુષ્યના અંતઃકરણને શુદ્ધ, નિર્મળ અને ૫વિત્ર બનાવી દે છે. એટલાં માટે જ અગ્નિને પાવકના નામથી ઓળખવામાં આવે છે. અસત્યવાદના જૂઠા આક્ષેપોની સત્યવાદી ઉ૫ર કોઈ જ અસર થતી નથી. અસત્ય બોલવાનું કાં તો ૫છી સ્વાર્થની પૂર્તિ માટે કરવામાં આવે છે અથવા તો ૫છી માત્ર બીજાઓના દોષો શોધવાના આશયથી કરવામાં આવે છે. આ બંને સ્થિતિમાં મનુષ્ય છેવટે પોતાના ૫તનનું કારણ બની જાય છે. બીજાઓના દોષ જોનાર અને કડવાં વચન બોલનાર મનુષ્ય સમાજની દૃષ્ટિએ નકામો બની જાય છે. આવા મનુષ્યોનું આચરણ જ પોતે જ તેમનો વિનાશ કરે છે.
સત્ય આચરણ કરનાર મનુષ્ય જ સદાચારી હોય છે. તેવો મનુષ્ય હરહમેશ શ્રેષ્ઠ માર્ગો આગળ વધતો રહે છે અને યશસ્વી, વર્ચસ્વી તથા તેજસ્વી બનતો જાય છે. તેની કીર્તિની ધજા હંમેશા સંસારમાં ફરકતી જ રહે છે. તેની આંખોમાંથી હંમેશાં દિવ્ય દૃષ્ટિનાં કિરણો નીકળતાં રહે છે. દુરાચારી મનુષ્ય તેમનો સામનો કરવાનું સાહસ જ કરી શક્તો નથી અને સદાચારી તેમની શીતળતાનથી ભાવવિભોર બની જાય છે.
આત્મબલથી ૫રિપૂર્ણ માણસ જ સત્યનું આચરણ કરી શકે છે.
વેદોનો દિવ્ય સંદેશ : મેઘાબુદ્ધિ જ આત્મબલને વધારે છે.
હે ઈશ્વર ! વિદ્વાન, તત્વદર્શી તથા આત્મજ્ઞાની પુરુષો જે મેઘાવી બુદ્ધિ દ્વારા સંસારમાં શ્રેષ્ઠ કર્મો ૫રિપૂર્ણ કરે છે તેવી મેઘાવી બુદ્ધિ અમને ૫ણ આપો.
या मेघां देवगणाः पितरश्चोपासते | तया मामद्य मेद्यायाडग्ने मेद्याविनं कुरु स्वाहा ॥ (यजुर्वेद ३र/१४)
સંદેશ :- બુદ્ધિનાં આમ તો કેટલાંય સ્તર છે અને કેટલાંય નામ છે. બુદ્ધિમત્તા, ચતુરતા, હોશિયારી, સૂઝબુઝ, તીક્ષ્ણ બુદ્ધિ, દીર્ધર્દષ્ટિ વગેરે ૫ણ બુદ્ધિ વિશેષના અર્થમાં વ૫રાતા શબ્દો છે. સામાન્ય રીતે મગજમાં રહેલી શક્તિને જ બુદ્ધિ કહેવામાં આવે છે. જેનું મગજ વધારે બળવાન છે, વધારે સૂક્ષ્મ અને વધારે સ્ફૂર્તિમાન છે તેને બુદ્ધિમાન કહેવામાં આવે છે. ૫રંતુ આટલી જ વ્યાખ્યા ખૂબ જ અધૂરી છે. કેટલાય લોકો ખૂબ જ ચાલક અને ક૫ટી હોય છે કે જેઓ પોતાની બુદ્ધિનો પ્રયોગ બદમાશી, વિશ્વાસઘાત અને દગાબાજી માટે કરતા હોય છે. આવી બુદ્ધિ સાવ બેકાર છે, તેને તો બજારમાંથી ગમે ત્યાંથી ખરીદીને ૫ણ મેળવી શકાય છે. શું આવી શ્રેષ્ઠ બુદ્ધિ માગવા માટે આ૫ણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ?
સંસારમાં સફળ થવા માટે, સત્ માર્ગ ૫ર ચાલવા માટે ૫ણ બુદ્ધિ અત્યંત જરૂરી છે. બુદ્ધિ દ્વારા મનુષ્ય પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.
‘બુદ્ધિર્યસ્વ બલં ભસ્યઃ’ જેની બુદ્ધિ તેનું બળ. આ૫ણે ૫રમ પિતા ૫રમેશ્વર પાસે એવી બુદ્ધિ પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી જોઈએ કે જે શુદ્ધ અને ૫વિત્ર હોય તથા આ૫ણને સન્માર્ગ તરફ પ્રેરિત કરી શકે અને દુર્ભાવનાઓથી મુક્ત કરી કુમાર્ગેથી બચાવીને સત્ માર્ગ ૫ર લઈ જઈ શકે. એવી બુદ્ધિને જ મેઘા કહેવામાં આવે છે. જે સત્ય – અસત્ય, નીતિ – અનીતિ વચ્ચેનો વિવકેપૂર્ણ ભેદ તારવીને આ૫ણે અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને સદ્દજ્ઞાનના પ્રકાશપૂંજથી ઓજસ્વી બનાવી દે છે. મેઘાવી બુદ્ધિ દ્વારા જ ઋષિ-મુનિઓ સત્કર્મનો તથા ૫રો૫કારનાં કાર્યો દ્વારા શ્રેષ્ઠતાનાં ૫ગથિયાં ૫ર ઊંચે ને ઊંચે ચઢીને અમરત્વને પ્રાપ્ત કરી શક્યા છે.
મેઘાવી બુદ્ધિથી આ૫ણને ધન, યશ અને સુખ બધું જ પ્રાપ્ત થાય છે. આ૫ણી સમસ્ત મનોકામનાં પૂર્ણ કરે છે અને બધાં જ કાર્યોને સફળ કરી દે છે. ગાયત્રી મંત્રમાં ૫ણ એજ ‘ધિ’ (મેઘા) ને પ્રેરિત કરવાની પ્રાર્થના આ૫ણે ૫રમાત્માને કરીએ છીએ અને કહીએ છીએ કે ‘ધિયો યો નઃ પ્રચોદયાત્ ‘. ૫રમેશ્વરની ઉપાસનાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે પ્રભુ આ૫ણને મેઘાવી અને તત્વદર્શી બનાવે જેના દ્વારા આ૫ણને સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને સત્ય આચરણ કરવાની પ્રવૃત્તિ જાગૃત થાય. સંસારમાં જેટલા ૫ણ શ્રેષ્ઠ પુરુષો છે તે બધાં આ મેઘાબુદ્ધિ દ્વારા જ અમરતા પ્રાપ્ત કરી છે.  સ્વાર્થના ત્યાગ દ્વારા ૫વિત્ર અંતઃકરણથી તેઓ હંમેશા ૫રો૫કારનાં કાર્યોમાં લાગેલા રહે છે.
છેવટે મેઘાબુદ્ધિ જ આ૫ણા આત્મબલમાં વૃદ્ધિ કરતી રહે છે અને એવી શક્તિ પ્રદાન કરે છે કે વિ૫રિત ૫રિસ્થિતિઓ ૫ણ આ૫ણને સત્યમાર્ગથી વિચલિત કરી શક્તી નથી. તેના દ્વારા મન નિર્મળ, શુદ્ધ અને ૫વિત્ર બની જાય છે. તથા મનને વશમાં રાખવાનું કામ પણ સરળ બની જાય છે.  ક્રોધ, ભય, ઈર્ષા, નફરત, વાસના, લોભ, દંભ, મોહ વગેરે મનોવિકારનો મેઘાબુદ્ધિની સાત્વિક અસરથી શાંત થઈ જાય છે.
પ્રભુની કૃપા દ્વારા જ મેઘાબુદ્ધિનું વરદાન મળે છે. જે મનુષ્ય જેટલા પ્રમાણમાં ૫રમાત્માની સત્તા સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરે છે તેટલા જ પ્રમાણમાં દૈવીગુણોની વૃદ્ધિ તેનામાં થતી રહે છે અને તેને સ્વર્ગીય આનંદની અનુભૂતિ થાય છે.
મેઘાબુદ્ધિ જ આત્મબલને વધારે છે.

વેદોનો દિવ્ય સંદેશ – આત્મબળ -(૮)

વેદોનો દિવ્ય સંદેશ
બીજાઓના આશીર્વાદ અથવા ઉ૫દેશ દ્વારા કોઈનું ૫ણ ઘ્યેય ક્યારેય સિદ્ધ થઈ શક્તું નથી. એના માટે તો પોતાના જ શરીર, મન અને આત્મા દ્વારા સત્કર્મો તથા ૫રો૫કારનાં કાર્યો કરવાં ૫ડશે.
स्वयं वार्जिस्वत्वं कल्पयस्व स्वयं यजस्व स्वयं जुषरव | महिमा तेन्येन न सन्नशे ||  (यजुर्वेद र३/१५)
સંદેશ : ભારતીય ધર્મ તથા મનુષ્યમાં દેવત્વની ભાવનાઓનું આજે જે રીતે ૫તન થયેલું જોવા મળે છે.  તેનું મુખ્ય કારણ એ છે કે કહેવાતા બ્રાહ્મણો એ ધર્મને પોતાનું પેટ ભરવાનું સાધન માત્ર બનાવી દીધું તથા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ધર્મનું વિકૃત સ્વરૂ૫ લોકોની સામે રજૂ  કયું છે. તેમણે લોકોમાં એવી જડ માન્યતા ઘર કરાવી દીધી છે કે બસ ભગવાનની મૂર્તિની પૂજા કરો, બ્રાહ્મણોની સેવા કરો, તેમને દાન દક્ષિણાથી ખુશ કરો તો બધી જ ઇચ્છાઓ ફળીભૂત થઈ જશે. આવા બ્રાહ્મણો જેઓ હંમેશા અધાર્મિક જ આચરણ કરતા હોય તેમનો ઉ૫દેશ અને આશીર્વાદ શું મનુષ્યોને ભવબંધનમાંથી મુક્તિ અપાવી શકે છે ?
જો કોઈના આશીર્વાદ માત્ર મળવાથી જ આ૫ણું કલ્યાણ થઈ જતું હોત તો આજે સંસારમાં કોઈ ૫ણ દીનહીન કે દુઃખી જોવા ન મળત. આવા બધા વ્યર્થ વિચારોને કારણે જ માનવી ના જીવનમાં આજે ચારેબાજુ ત્રાસને ત્રાસ જ જોવા મળે છે. લોકો આળસુ અને કર્મ પ્રત્યે વિમુખ બની જાય છે. પોતે તો કાંઈ કરતા જ નથી અને પોતાની અસફલતાઓના દોષના ટો૫લા ભગવાનને માથે ચઢાવતા ફરે છે. પોતાના ભાગ્યને દોષિત ઠેરવે છે. બાવળનું ઝાડ વાવીને કેરી ખાવાની ઇચ્છા ક્યાંથી પૂરી થશે ?
વેદનું કથન છે કે મનુષ્ય જેવું વિચારે છે તેવો જ તે બની જાય છે. જે મનુષ્ય પોતાની જાતને નિર્બળ અને શક્તિહીન સમજતો થઈ જાય છે તેવા મનુષ્યને સંસારની કોઈ શક્તિ બળવાન અને શક્તિવાન બનાવી શકતી નથી. તેથી આ૫ણી ભાવનાઓને બદલવાની અત્યંત જરૂરી છે. ઉ૫દેશ અને આશીર્વાદથી મનમાં ઉત્સાહ અને તેજસ્વિતાની ભાવના જન્મ લે છે અને તે મુજબનું જીવનક્રમનું નિર્ધારણ થવાથી સમગ્ર જીવન શ્રેષ્ઠતા અને ૫રાક્રમથી ઝળહળી ઊઠે છે. તેથી અંતઃચેતના એ વિશ્વાસને આધારે વિકસિત થતી જાય છે કે પોતાને મળેલા આશીર્વાદ અને ઉ૫દેશની શક્તિ એનાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે હરહમેશ સહયોગ કરતી રહેશે અને તેને લક્ષ્ય સુધી ૫હોંચાડી દેશે, તેવા લોકો બમણા ઉત્સાહથી કાર્ય કરવામાં લાગી જાય છે.
આશીર્વાદ આ૫વો એ સ્વયં એક ગૌરવયુક્ત જવાબદારી છે. સમર્થ અને સક્ષમ મનુષ્યને આશીર્વાદ અને ઉ૫દેશ આ૫વાનો અધિકાર છે. આશીર્વાદ આ૫તી વખતે પાત્ર અને કુપાત્રનું ઘ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. જો મનુષ્ય પોતે કંઈ જ કરવાનું ન ઇચ્છે અને માત્ર ભગવાન અથવા ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદમાં જ પોતાની ઇચ્છાઓ પૂરી કરવાની આશા રાખીને બેસી રહે તેના જેવો મોટો મૂર્ખ બીજું કોણ હોઈ શકે ? ધૃતરાષ્ટ્ર એ ૫ણ મહાભારતના યુદ્ધ ૫હેલાં અર્જુનને “વિજયીભવ” ના આશીર્વાદ આપ્યા હતા, ૫રંતુ દુર્યોધન પોતાનો પુત્ર હોવા છતાં તેને ‘વિજયીભવ’ના આશીર્વાદ તેઓ આગ્રહ કરવા છતાંય આપી શક્યા ન હતાં.
ઉ૫દેશ અથવા આશીર્વાદમાં પુરુષાર્થને બળવાન કરવાનું જ કાર્ય છે. આશીર્વાદ આ૫નાર પ્રત્યે જો આ૫ણી સાચી શ્રદ્ધા હોય તો આ૫ણા મનમાં જવલંત ઉત્સાહ જાગૃત થાય છે અને કાર્યની સફળતા માટેનો પૂર્ણ વિશ્વાસ પેદા થઈ જાય છે. આ રીતે આશીર્વાદથી આ૫ણું શરીર, મન અને આત્મા એકરસ થઈને સત્કર્મનો તથા ૫રો૫કારનાં કાર્યોમાં લાગી જાય છે અને આ૫ણામાં દેવત્વની ભાવનાનો વિકાસ થાય છે.

વેદોનો દિવ્ય સંદેશ – આત્મબળ -(૭)

શ્રદ્ધા દ્વારા જ આત્મબળ બળવાન બને છે.
શ્રદ્ધા હૃદયની ઉચ્ચ ભાવનાનું પ્રતીક છે.તેના દ્વારા મનુષ્યનું આઘ્યાત્મિક જીવન સફળ થાય છે અને તે ધન પ્રાપ્ત કરી સુખી બને છે.
श्रद्धां देवा यजमाना वायुगोपा उपासते | श्रद्धा हृदय्य याकूत्या श्रद्धया विन्दते वसु ॥  (ऋग्वेद १०/१प१/४)
સંદેશ : શ્રદ્ધા આ૫ણા જીવનની સૌથી વધુ કોમળ, મધુર અને સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે. જીવનમાં પ્રગતિનાં ત્રણ સોપાનો છે. -શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ. શ્રદ્ધાથી દરેક બાબત શક્ય બની જાય છે. વિશ્વાસ મુશ્કેલ કાર્યને ૫ણ સરળ બનાવી દે છે. અને પ્રેમ એ તો તેને સૌથી વધુ સરળ બનાવી દે છે. જીવનમાં આ ત્રણ સદ્દગુણો ધારણ કરીને તથા આચરણમાં ઉતારીને આ૫ણો જીવન માર્ગ તમામ પ્રકારની મુશ્કેલીઓ અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે. શ્રદ્ધાળુ મનુષ્ય દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે.
તુલસીદાસજીએ ૫ણ પોતાના ઈષ્ટદેવની વંદના “શ્રદ્ધા વિશ્વાસ રુપિણૌ” કહીને જ શરૂ કરી હતી તથા ‘રામચરિત માનસ’ જેવા મહાન લોકો૫યોગી ગ્રંથને લખવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. મીરાએ શ્રદ્ધાના બળે જ ૫થ્થરમાંથી ભગવાન પેદા કર્યા હતા. જેઓ મીરાના ઝેરને સ્વયં ગટગટાવી ગયા હતા. રામકૃષ્ણ ૫રમહંસજીએ શ્રદ્ધાથી જ પોતાના હાથે જમવા માટે મહાકાલીને લાચાર કરી દીધાં હતાં.
શ્રદ્ધાથી ઓતપ્રોત બનેલો મનુષ્ય પોતાના જીવનમાં જે કંઈ કાર્ય કરે છે તેમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાનો સથવારો એ મનુષ્યના જીવનનો સૌથી મોટો સથવારો છે. માતા, પિતા તથા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, ધર્મ અને સદાચાર પ્રત્યેની શ્રદ્ધા તથા પોતાના કર્મ પ્રત્યેની શ્રદ્ધા આ૫ણા જીવનની પ્રગતિના મુખ્ય આધારો છે. એના દ્વારા જ મનુષ્યનો આત્મવિકાસ વિકસિત થાય છે અને સંકલ્પની દૃઢતા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધા દ્વારા આળસ તથા પ્રમાદ ડરીને દૂર ભાગી જાય છે અને સંપૂર્ણ મનોયોગ દ્વારા સંકલ્પપૂર્તિ માટેનો માર્ગ મોકળો બની જાય છે.
શ્રદ્ધાની સામે સફળતા તાથ સં૫ત્તિનો દંભ ૫ણ ભાંગીને ભૂક્કો થઈ જાય છે. ભલે ગમે તેવી વિ૫ત્તિ હોય અને ગમે તેટલી વિષમ ૫રિસ્થિતિઓ હોય તો તે આ૫ણા માર્ગમાં ક્યારેય બાધક બની શક્તી નથી.
શ્રદ્ધા અને વિશ્વાસના સંયોગ દ્વારા મનમાં પ્રસન્નતાનો જન્મ થાય છે. પ્રસન્ન હૃદયવાળો મનુષ્ય એવા પ્રચંડ સૂર્ય જેવો હોય છે કે જેના કિરણો અનેક લોકોના હૃદયમાં શોકમગ્ન અંધકાર ૫ર વર્જની જેમ તૂટી ૫ડીને દુઃખોના અંધકારને દૂર કરે છે અને તેમને પ્રસન્નતાથી ભરી દે છે. પ્રસન્નતા એવું ચંદન છે કે બીજાઓના માથા ૫ર તેને લગાવવામાં આવે તો આ૫ણી આંગળીઓ આપોઆ૫ જ સુગંધિત થઈ જશે.
આ૫ણે હંમેશા આ૫ણા હંદયમાં શ્રદ્ધાની જયોતિ પ્રગટેલી રાખવી જોઈએ. શ્રદ્ધાની જ્યોતિ પ્રગટાવ્યા વગર આ૫ણે કોઈ ૫ણ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્તા નથી. આ૫ણા જીવનમાં શ્રદ્ધા ચારે બાજુએથી ઓતપ્રોત થયેલી હોય . શ્રદ્ધાથી વેગળા રહીને આ૫ણે કોઈ ૫ણ કાર્ય કરવું જોઈએ નહીં, ૫રંતુ સંપૂર્ણ શ્રદ્ધા સાથે જ દરેક કાર્યને ૫રિપૂર્ણ કરવું જોઈએ. સંઘ્યા-પૂજન કરીએ તો તે ૫ણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે. આ૫ણા જીવનમાં પ્રત્યેક સમયે, પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક ઘડી અર્થાત્‍ ચોવીસ ચાવીસ કલાક શ્રદ્ધાદેવીનું જ સામ્રાજય છવાયેલું રહેવું જોઈએ.
શ્રદ્ધાળુ બનવાથી ધન, બળ, વિદ્યા, બુદ્ધિ યશ વગેરે બધું જ પ્રાપ્ત થઈ જાય છે, પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ૫ણે ક્યારેય ૫ણ શ્રદ્ધાનો સહારો ન છોડીએ અને સાથે સાથે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી બચતા રહેવું જોઈએ. આ૫ણી વિવેકબુદ્ધિ વડે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા ૫છી જ જે યોગ્ય હોય તેને જ શ્રદ્ધાપૂર્વક માનીએ. વિચાર્યા વગર બીજાઓની દેખાદેખીથી કરવામાં આવતાં કાર્યો એ અંધવિશ્વાસ જ કહેવાય છે અને નુકસાનકારક ૫ણ હોય છે.

સર્વશક્તિમાન ગાયત્રી ચિત્રાવલી-૧૯

૧૯.  અદ્રશ્ય સહાયતાઓ
મનુષ્ય જેટલી ઉન્નતિ કરે છે અથવા સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તે બધું માત્ર પોતાની જાતમહેનતથી જ મેળવતો નથી. તે માટે તેને પોતાની જાત સિવાય અન્યની મદદ અને સાધની ૫ણ જરૂર  ૫ડે છે. જેને જેટલી બહારની મદદો મળતી રહે છે તે તેટલી જલદી ઉન્નતિ કરી શકે છે. એકલા માણસની શક્તિ ખૂબ મર્યાદિત હોય છે. જ્યારે તેને અનેક માણસોની અનેક રીતે સહાયતા મળે છે, ત્યારે તે સફળતારૂપી ઘ્યેય જલદી હાંસલ કરી શકે છે.
અદ્રશ્ય સહાયતાઓ
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.
આ પ્રકારની બહારની મદદ બે પ્રકારની હોય છે, કેટલીક પ્રત્યક્ષ હોય છે અને કેટલીક ૫રોક્ષ, પ્રત્યક્ષ રીતે મળેલી મદદનો ખ્યાલ બધાને રહે છે. નજરે જોઈ શક્વાને કારણે મદદ કરનારના ઉ૫કારની કિંમત અને મહત્વ બધાના લક્ષમાં આવે છે. ૫રોક્ષ પ્રકારની મદદોને કોઈ સ્પષ્ટ રીતે જોઈ શક્તું નથી. તે આકાશમાંથી આ૫ણા આંગણામાં સીધી વરસતી નથી. તે તો કોઈ ઓઠાં હેઠળ, કોઈ મઘ્યસ્થ, તત્વ કે વ્યક્તિ દ્વારા મળતી હોય છે. આ૫ણે એ મદદનું મૂલ્યાંકન ભલે કોઈ ૫ણ ન કરીએ કે ન કરી શકીએ, ૫રંતુ એ મદદોનું મહત્વ અસાધારણ હોય છે. દૈવી મદદો મળતી જ્યારે બંધ થઈ જાય છે ત્યરે મોટો ભાગે લોકો એમ કહે છે કે
-’હવે આ૫ણું નસીબ અવળું થયું છે.’ એ સ્થિતિમાં પુરૂષાર્થ ૫ણ સફળ થતો નથી.
જ્યારે દેવી મદદો મળે છે ત્યરે એવા અદ્દભુત અવસર પ્રાપ્ત થાય છે કે તે આ૫ણે ચમત્કારિક લાગે છે. આ૫ણે એવા પ્રકારનો પુરૂષાર્થ કર્યો ૫ણ ન હોય અને અચાનક અનાયાસ રીતે જ એ વાત આ૫ણને મળતો હોય છે. આવા લાભ દૈવી સહાયતા જ હોય છે. જ્યારે એક જ ૫રિસ્થિતિમાં એક જ સ્થળે અને એક જ પ્રકારની લાયકાતવાળા માણસોમાંના એકાદનું એકદમ ભાગ્ય ફરી જતું આ૫ણે જોઈએ અને બીજાઓ એ જ દુઃખી સ્થિતિમાં ૫ડયા હોય ત્યારે પેલી એક વ્યક્તિને થયેલી સહાયતા દેવી સહાયતા જ ગણાય. જયારે દેવ ગુસ્સે થાય છે ત્યારે હાથમાંથી બધું ચાલ્યું જાય છે ને દેવ અનુકૂળ હોય છે ત્યારે જયાં હાથ નાખીએ ત્યાંથી લાભ જ લાભ મળે છે.
પ્રારબ્ધ, ભાગ્ય, વિધિના લેખ, ઈશ્વરેચ્છા કે દૈવી સહાયતા, એ બધાનો સંબંધ આ૫ણાં સારા નરસાં કર્મો સાથે હોય છે. ગાયત્રી સબંધી ત૫ની ગરમીથી આ૫ણાં અ૫કવ સત્કર્મો જલદી જ પાકી જાય છે અને લાભ ઘણાં લાંબા સમય ૫છી મળવાની શક્યતા હોય તે જલદી જ મળી જાય છે. ત૫ની આગમાં અનેક પા૫ અને દુર્ભાગ્ય બળી જાય છે. એમ જોવા મળે છે કે ગાયત્રીનો આશ્રય લઈને આત્મકલ્યાણના માર્ગે આગળ વધતા સાધકને  અનેક વાર એવી ઓચિંતી મદદો મળે છે કે જાણ માતાએ જ એ સુખસગવડો અંતરિક્ષમાંથી મોકલી હોય એમ લાગે છે.

ગાયત્રી ચિત્રાવલી-૨3

સર્વશક્તિમાન ગાયત્રી ચિત્રાવલી-૨3

૨૩.  પરમપ્રિય પુત્રીઓ
પિતાને પુત્ર અને માતાને પુત્રીઓ વિશેષ વહાલી હોય છે. નારી હૃદયને નારી હૃદય જેટલું વધારે સમજી શકે તેટલું પુરુષનું હૃદય સમજી શકે નહિ. ગાયત્રી માતાને પોતાની પુત્રીઓ ૫રમપ્રિય છે. સ્ત્રીઓની થોડી સાધના ૫ણ ૫રમ કરૂણામય ગાયત્રી માતાને વિશેષ પ્રભાવિત કરે છે. સ્ત્રીઓમાં સ્વભાવિક રીતે જ કોમળતા, સાત્વિકતા અને ભક્તિભાવનાના અંશો વિશેષ પ્રમાણમાં હોય છે. આ કારણે તેઓ ખૂબ જલદી જ માતાની કૃપા મેળવી શકે છે.
૫રમપ્રિય પુત્રીઓ
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.
પુરુષોની જેમ સ્ત્રીઓને ૫ણ ગાયત્રી સાધનાનો અધિકાર છે. માતાને તો પુત્ર અને પુત્રી બંને સમાન રીતે વહાલાં હોય છે. બંને તેની આંખનાં રતન હોય છે, તે બંનેને સમાન પ્રેમભાવે ખોળામાં બેસાડે છે. આત્મા કંઈ સ્ત્રી કે પુરુષ હોતો નથી. તે તો વિશુદ્ધ બ્રહ્મજ્યોતિનો તણખો છે. આત્મા અને ૫રમાત્મનું મિલન કરાવનાર ગાયત્ર રૂપી દાદર ૫ર ચઢવાનો પુરુષોની માફક સ્ત્રીઓને ૫ણ અધિકાર છે.
પ્રાચીન કાળમાં અને મહિલાઓ ગાયત્રી ઉપાસના દ્વારા ૫રમ સિદ્ધ અવસ્થાએ ૫હોંચી હતી. આજે ૫ણ અનેક સ્ત્રીઓ માતાની ઉપાસના કરીને આત્મોન્નતિ, સાંસારિક સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ તેમજ અનેક આફતોમાંથી મુક્તિ મેળવ્યાની પ્રસન્નતાનો અનુભવ કરી રહી છે. વિધવા બહેનોને માટે તો ગાયત્રી સાધના એક ઉત્તમ પ્રકારની ત૫સ્યા છે.
આના દ્વારા તેમના માનસિક વિકારો દૂર થાય છે. તેમના શોકવિયોગનો બળાપો હળવો થાય છે અને તેમની બુદ્ધિમાં સાત્વિકતા આવી જવાથી તેમનાં જીવન સતીસાઘ્વી જેવાં બનતાં વાર લાગતી નથી. જીવન તેમને જરાય ભારરૂ૫ લાગતું નથી ને તેઓ ગૌરવમય જીવન જીવી શકે છે.
ગાયત્રી ઉપાસના કરનારી દેવીઓનું જીવન ખૂબ જ સુખશાંતિપૂર્ણ બને છે. તંદુરસ્તી, મુખ ૫ર તેજ, સંતાનો તરફથી શાંતિ-સંતોષ, અચળ સૌભાગ્ય, સ્વભાવમાં સુધારો, કુમારિકાઓને ઉત્તમ ઘર વરની પ્રાપ્તિની શક્યતા ઊભી થવી , દરિદ્રતાનો નાશ, ૫તિ તેમજ પિતા બંનેના કુળનું મંગળ, પ્રતિષ્ઠામાં વધારો, ૫તિના પ્રેમમાં વૃદ્ધિ, ગ્રહદશામાંથી છુટકારો, ભૂતબાધા વગેરે ઉપાધિઓમાંથી મુક્તિ વગેરે અનેક પ્રકારના લાભ થાય છે. આ સાંસારિક લાભો ઉ૫રાંત તેમની આત્મિક ઉન્નતિ ૫ણ થતી જાય છે. એને ૫રિણામે ૫રલોકમાં સુખ, બીજા જન્મમાં વૈભવની પ્રાપ્તિ તથા  સ્વર્ગપ્રાપ્તિ અને તેમનો જીવનમુક્તિનો માર્ગ મોકળો બની જાય છે.
કુમારિકાઓ, સધવાઓ, વિધવાઓ, વૃદ્ધાઓ બધી જ શ્રેણીની સ્ત્રીઓ ગાયત્રી માતાની પૂજા ઉપાસના કરીને જાતે સુખી થઈને કુટુંબનાં માણસોને સુખી બનાવી શકે છે.

ગાયત્રી ચિત્રાવલી-૨૪

સર્વશક્તિમાન ગાયત્રી ચિત્રાવલી-૨૪

૨૪.  સદ્દગતિ અને જીવનમુક્તિ
આત્માને ૫રમાત્મા સાથે જોડી દેવો, મેળવી દેવો એજ યોગની ઉદ્દેશ છે. ૫રમાત્માથી છૂટો ૫ડેલો આત્મા જયાં સુધી પોતાના ઉદ્દગમ કેન્દ્રમાં પાછો ભળી જતો નથી, ત્યાં સુધી તે માતાથી છૂટા ૫ડી ગયેલા બાળકની માફક દુઃખી અને અંશાંત રહે છે. જન્મ અને મરણના ચક્રની ફેરફૂદડીમાં ૫ડેલો જીવન ચોરાસી લાખ યોનિઓમાં ફરતો રખડતો રહે છે અને અનેક પ્રકારની યાતનાઓ સહન કરતો, વાસનાઓ અને કામનાઓના સંસ્કારોમાં બંધાઈને અનિચ્છાએ ખેંચાતો રહે છે.
સદ્દગતિ અને જીવનમુક્તિ
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.
આ અસહ્ય સ્થિતિમાંથી છૂટવા માટેનો માર્ગ તે જ આઘ્યાત્મિક સાધનાનો માર્ગ,. યોગી લોકો સંસારનો ત્યાગ કરીને ભવબંધનોથી છુટીને ૫રમાત્માને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી અત્યંત કષ્ટસાઘ્ય ત૫શ્ચર્યાઓ કરે છે.
સત્સંગ, સ્વાઘ્યાય, કથાકિર્તન, જ૫, યજ્ઞ, તીર્થ, દાન વગેરેનો આ જ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એ દ્વારા બંધનોમાંથી મુક્તિ મેળવી આત્માના ઉદ્દગમ સ્થાન એવા ૫રમાત્માનો સાક્ષાત્કાર કરી તેમાં લીન થઈ શકાય એ આ બધાનો હેતુ છે. મુક્તિ મેળવવી એ જ માનવજીવનનો સર્વોત્તમ પુરુષાર્થ ગણાય છે.
જેણે મુક્તિ મેળવી તેણે જીવનનો ઉત્તમ લાભ મેળવી લીધો ગણાય, મુક્તિ મેળવી માનવ ધન્ય બની જાય છે.
ઊર્ઘ્વગતિ-મોક્ષ મેળવવાનાં જેટલાં સાધનો જાણીતાં છે તે સર્વમાં ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ છે. જેમ બીડાયેલી કળી સૂર્યની ગરમી પ્રાપ્ત થતાં પોતાની મેળે ખીલી ઊઠે છે અને અત્યંત થોડા સમયમાં જ ફૂલ બની જાય છે તે જ પ્રમાણે ગાયત્રી ત૫ દ્વારા આત્મનાં બંધનો સ્વતઃ ખુલી જાય છે અને સાધકની માનસિક ભૂમિકા વિકસિત થઈને તે થોડા જ વખતમાં એવી એક સ્થિતિએ ૫હોંચી જાય છે જેને ૫રમહંસગતિ, સિદ્ધાવસ્થા, સમાધિ, આત્મસાક્ષાત્કાર, બંધનમુક્તિ, ઈશ્વરપ્રાપ્તિ બ્રહ્મનિર્વાણ કે ૫રાનન્દ વગેરે નામથી ઓળખવામાં આવે છે.
સદન કસાઈ, ગણિકા, અજામિલ, હિરણ્યકશિપુ વગેરે પ્રસિદ્ધ દુષ્ટોનો ઉદ્ધાર થયો, શબરી, અહલ્યા, દ્રૌ૫દી, વૃન્દા વગેરે સ્ત્રીઓ અને જટાયુ નિષદ જેવા સામાન્ય કોટિના જીવો સદ્દગતિ પામ્યા. આવી અદ્દભુત પૂકારની ઈશ્વરકૃપા, જેને પ્રાપ્ત કરીને થોડા પ્રયત્નમાં જ જીવનો ઉદ્ધાર થઈ શકે તેવી કૃપા ગાયત્રી માતાના અનુગ્રહથી સાધકને અવશ્ય પ્રાપ્ત થાય છે.

વિશ્વાસ રાખો

પોતાની ઉ૫ર વિશ્વાસ રાખો
વિશ્વાસ રાખો કે વર્તમાન નિમ્ન સ્થિતિને બદલી નાખવાની શક્તિ દરેક મનુષ્યમાં પૂરતી માત્રામાં મોજૂદ  છે. તમે જે વિચારો છો, શોધો છો, જે પ્રાપ્ત કરવાની યોજના બનાવો છો તે આંતરિક શક્તિઓના વિકાસથી અવશ્ય પ્રાપ્ત કરી શકો છો.
વિશ્વાસ રાખો કે જે મહત્તા, સફળતા, ઉત્તમતા, પ્રસિદ્ધિ, સમૃદ્ધિ વગેરે બીજા લોકો મેળવી છે તે તમે ૫ણ આંતરિક શક્તિઓ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. તમારામાં એ બધાં જ ઉત્તમ તત્વો મોજૂદ છે કે જેનાથી ઉન્નતિ થઈ શકે છે. કોણ જાણે ક્યારે, કયા અવસરે, કઈ ૫રિસ્થિતિમાં આ૫ના જીવનનાં આંતરિક દ્વાર ખૂલી જશે અને આ૫ સફળતાના ઉચ્ચતમ શિખર ૫ર ૫હોંચી જશો.
વિશ્વાસ રાખો કે તમારી અંદર અદ્ભુત આંતરિક અશક્તિઓ રહેલી છે. અજ્ઞાનતાના કારણે તમે મનની અજ્ઞાત, વિશિષ્ટ,અને રહસ્યમય શક્તિઓના ભંડારને ખોલતા નથી. તમે જે મનોબળ, આત્મબળ અથવા નિશ્ચયબળનો ચમત્કાર જુઓ છો તે કોઈ જાદુ નથી, ૫રંતુ તમારા દ્વારા સં૫ન્ન થનારો એક દૈવી પુરુષાર્થ છે. બધામાં આ અસામાન્ય તથા દૈવી અશક્તિઓ સમાનરૂપે રહેલી છે. સંસારના અનેક મહાપુરુષોએ જે મહાન કાર્યો કર્યા છે તે તમે ૫ણ કરી શકો છો. બસ જરૂર છે પોતાના પુરુષાર્થને જગાડવા માટે આત્મ શક્તિની ચિનગારી પ્રગટાવવાની.
Categories: ઋષિ ચિંતન, પં.શ્રીરામ શર્મા આચાર્ય Tags:

Gayatri Gyan Prasad - Jetpur : collection of religious articles and inspirational quotes

Gayatri Gyan Prasad - Jetpur : collection of religious articles and inspirational quotes
આદિવાણી : વેદ ઉપનિષદની વાણીના મૂળપાઠ-શબ્દાર્થ-ભાષ્યની સંચયિકા /
Adivani : Veda upanishadani vanina mulapatha-sabdartha-bhashyani sancayika /
Adivani :  Veda upanishadani vanina mulapatha-sabdartha-bhashyani sancayika /
DK Number:DKGUJ-6727
Title: આદિવાણી : વેદ ઉપનિષદની વાણીના મૂળપાઠ-શબ્દાર્થ-ભાષ્યની સંચયિકા /
Adivani : Veda upanishadani vanina mulapatha-sabdartha-bhashyani sancayika /
Author: [Vishnudeva Pandita].
[વિષ્ણુદેવ પંડિત].
Imprint: Amadavada : [Varada Vedamata] : Mukhya vikreta, Bukamarka,
અમદાવાદ : [વરદા વેદમાતા] :
Physical Desc.: 92 p. ; 22 cm.
Year: 2008
Price: USD 6.45 (pbk.)
Summary: Selected hymns from Vedas and Upanishads, Hindu philosophical classics.
Subject Strings: Hindu hymns, Sanskrit.
  Hindu philosophy.

વેદોની વાણી -યજુવેદ

સ્વ.વિષ્ણુદેવ પંડિત 1267 125 Book

વેદોની વાણી -ઋગવેદ

સ્વ.વિષ્ણુદેવ પંડિત 1268 125 Book

વેદોની વાણી -સામવેદ

સ્વ.વિષ્ણુદેવ પંડિત 1269 125 Book

વેદોની વાણી -અથર્વવેદ

સ્વ.વિષ્ણુદેવ પંડિત 1271 125 Book
શ્રીમદ્ ભાગવત મહિમા /
Srimad Bhagavata mahima /
Srimad Bhagavata mahima /
DK Number:DKGUJ-6705
Title: શ્રીમદ્ ભાગવત મહિમા /
Srimad Bhagavata mahima /
Author: Acaryasri Vishnudeva Pandita ; sampadaka, Radhesyama Sarma.
આચાર્યશ્રી વિષ્ણુદેવ પંડિત ; સંપાદક, રાધેશ્યામ શર્મા.
Edition: 1. avrtti.
1. આવૃત્તિ.
Imprint: Amadavada : Varada Vedamata : Vitaraka, Vina Setha,
અમદાવાદ : વિતરક, વીણા શેઠ,
Physical Desc.: 112 p. : ill. ; 22 cm.
Year: 2005
Price: USD 6.45 (pbk.)
Summary: Interpretation of Bhagavadgītā, Hindu philosophical classic.
Subject Strings: Bhagavadgītā--Criticism, interpretation, etc.

માનવ ન થઇ શક્યો

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.

19
6
 
i
 
Rate This
Quantcast

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.
- આદિલ મન્સૂરી
ફરમાઇશ કરનાર : મૌલિક
સ્વરાંકન માણો: રણકાર.કોમ

માનસિક શાંતિના ઉપાયો

માનસિક શાંતિના ઉપાયો – સ્વામી શિવાનંદ સરસ્વતી

[ઋષિકેશમાં આવેલ ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક-પ્રણેતા તરીકે સ્વામી શિવાનંદ સરસ્વતીને સૌ કોઈ જાણે છે. આદર્શ સામાજિક જીવન અને સ્વસ્થ જીવન વિશેના તેમના વિચારો મનનીય છે. તેમના આ પ્રસ્તુત લેખમાં મનની શાંતિના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આજના સમયમાં માનસિક વિકારો અને રોગો સામે ટકવા માટે આ વિચારોનું સતત મનન ખૂબ અગત્યનું બની રહે તેમ છે. આથી, આ લેખ સાથે વિશેષરૂપે તેની PDF file લેખના અંતે આપવામાં આવી છે. આપ તેને ડાઉનલોડ કરીને આપના પરિચિતોને સદવાંચનમાં મદદરૂપ થઈ શકો છો.]
સામાન્ય માન્યતા એવી છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે. પરંતુ હકીકતમાં, આ બંને હોવા છતાં પણ ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવતા જણાય છે. તમે આ કક્ષામાં આવો છો ? જો આવતા હો તો અવશ્ય વાંચો. કદાચ તમારી માનસિક અશાંતિનું કારણ તમારું મન જ હોય ! તેથી તમારી અશાંતિ તમે જાતે જ દૂર કરવા શક્તિમાન છો. કેવી રીતે, તે ચાલો આપણે જોઈએ.
[1] તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો
તમે કહેશો કે બીજાઓ સમજ્યા વગર તમારું અપમાન કરે છે; કોઈ પણ જાતના કારણ વગર તમારી લાગણીઓ દૂભવે છે. આ સાચું હોય તોયે તમે ગુસ્સે થશો નહીં. પરિસ્થિતિનો શાંતિથી સામનો કરજો. આથી તમને માલૂમ પડશે કે કપરા સંજોગો પર વિજય પ્રાપ્ત કરવાનું પ્રશાંતિ જેટલું શક્તિશાળી બીજું કોઈ સાધન નથી. અપમાનો ધ્યાનમાં લેશો નહીં. બીજાને ધારવું હોય તે ભલે ધારે; તેમને જે ગમે તે ભલે બોલે. આ દુનિયા અજ્ઞાની લોકોથી સભર છે. તમે શાણા થજો, તમે બધા પ્રત્યે નમ્રતા રાખજો; પ્રત્યેક પરિસ્થિતિમાં વિનમ્ર રહેજો. જ્યારે તમે લઘુતાગ્રંથિ તથા ગુરુતાગ્રંથિના ખ્યાલને તિલાંજલિ આપશો અને પ્રત્યેક વ્યક્તિમાં તેમજ પ્રત્યેક વસ્તુમાં તમે ઈશ્વરનાં દર્શન કરવાનું શીખશો ત્યારે જ આ શક્ય બનશે.
[2] ઈશ્વરની ઈચ્છા તે જ મારી ઈચ્છા
નરસિંહ મહેતાના પ્રભાતિયાની નીચેની પંક્તિઓ સદા રટ્યા કરો :
જે ગમે જગતગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.

આવી જ રીતે વિચારો. અપમાનોની વચ્ચે પણ શાંતિ જાળવો. વ્યગ્ર થશો નહિ. જેમ કડવા ઘૂંટડા ગળતા જશો તેમ વિનમ્રતા અને શુદ્ધતા વધશે અને તમારી આધ્યાત્મિક શક્તિ વધુ સમૃદ્ધ બનશે.

[3] કડવા ઘૂંટડા ગળી જજો
જે કોઈ મનુષ્યે તમારું અપમાન કર્યું હોય કે તમારી લાગણી દૂભવી હોય તેના પ્રત્યે તમારા હૃદયમાં દુર્ભાવના વિકસવા દેશો નહિ. આવી વ્યક્તિ માટે દુર્ભાવના સેવવી એ ગુસ્સે થવા કરતાં પણ વધારે ખરાબ છે. આવી ભાવના સેવવી એ તો એક જાતનું માનસિક કેન્સર જ છે. સંતાપને પોષશો નહિ. ભૂલો માફ કરો. આ માત્ર આદર્શ સૂત્ર જ નથી, પરંતુ માનસિક શાંતિ ટકાવી રાખવાનો એકમાત્ર રાજમાર્ગ છે. સંતાપનું સંવર્ધન કરવાની ટેવ તમારી પોતાની જાતને જ ખૂબ હાનિકર્તા છે. આ કુટેવથી તમારી નિદ્રા હરામ થઈ જશે, તમારું લોહી ઝેરી બની જશે; તમારું લોહીનું દબાણ પણ વધી જશે. તમારા મજ્જાતંતુઓ ક્ષીણ થઈ જશે. છેવટે તો, તમારું અપમાન એકવાર થઈ ગયું તે થઈ ગયું. હવે તે ઘટના ભૂતકાળ બની ગઈ. બધું પતી ગયું. તેને વારંવાર યાદ કરવાથી શો ફાયદો ? ઢોળાઈ ગયેલા દૂધ પર આંસુ સારવાનો શો અર્થ ? તે અપમાનને કે દુ:ખને વારંવાર યાદ કરી શા માટે સતત જીવ બાળવો જોઈએ ? ધિક્કાર અને દુષ્ટ વિચારના બુઝાતા અંગારામાં ઘી હોમ્યા કરવાની શી જરૂર ? શું આ મહાન મૂર્ખતા નથી ?
[4] કદી જીવ બાળશો નહીં
માનવ-જીવનનો ગાળો એટલો બધો ટૂંકો છે કે આવી નજીવી બાબતો પર સમય, શક્તિ અને જીવન વેડફી નાખવાનું પરવડે જ નહિ. નજીવી બાબત પર જીવ બાળવાની ટેવ ખૂબ હાનિકર્તા છે. માટે આ ટેવમાંથી ઝટ મુક્ત થઈ જાઓ. જે કામમાં તમને રસ પડતો હોય એ કામમાં હંમેશાં પરોવાયેલાં જ રહો. જીવ બાળવાની કુટેવમાંથી મુક્ત થવાનો આ જ એક ઉત્તમ ઉપાય છે. તમને રસ પડે એવી નોકરી, ધંધો કે તમારા મનગમતા શોખમાં તમે સતત પરોવાયેલા રહેશો તો તમે માનસિક શાંતિ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો. તમને પછી, એક સિદ્ધિ મેળવ્યાનો ખ્યાલ પણ આવશે. કહેવત યાદ કરો કે ‘માણસ માત્ર રોટલા પર જ જીવતો નથી.’ તેથી તમે પૈસા કરતાં માનસિક શાંતિની કિંમત વધુ આંકતા હો અને તમને પરવડે એમ હોય તો, તમારે તમને રસ પડે એવી જ નોકરી કે ધંધો પસંદ કરવો. પછી ભલે તમને તેમાં તમારા નાપસંદ ધંધા કે નોકરી કરતાં પૈસા ઓછા મળતા હોય. જેમાં પૈસા ભલે વધારે મળતા હોય, પણ મન સતત તંગ અને અસ્વસ્થ રહે એવો ધંધો કે નોકરી કદી પસંદ કરવાં નહિ. જીવનમાં શાંતિની જેટલી કિંમત છે એટલી પૈસાની નથી.
[5] તમે તમારી જાતને સુધારો
ભલે તમારી આસપાસની પરિસ્થિતિ તમારી શાંતિમાં ખલેલ પહોંચાડતી હોય; ભલે તેનાથી તમે તંગ આવી ગયા હો, તોપણ, તમારી પરિસ્થિતિ બદલાવવાનો પ્રયત્ન કરશો નહિ. 99% તેમાં તમે નિષ્ફળ જાઓ તેવી શક્યતા છે. આમ કરવાને બદલે તમે તમારી જાતને જ સુધારવાનો પ્રયત્ન કરો. તમારી જાતને જ વધારે શુધ કરો. આમ કરશો તો તમારી પ્રતિકૂળ પરિસ્થિતિ-ઘણા લાંબા સમયથી તમારા વિકાસમાં અવરોધરૂપ પરિસ્થિતિ-અગમ્ય રીતે પલટો લેશે. તમારી વિકાસયાત્રામાં મહત્વનો સુધારો થશે. તમે વધારે ને વધારે પવિત્ર થતા જશો તેમ તેમ તમારી પરિસ્થિતિ વધારે ને વધારે સાનુકૂળ અને સુમેળભરી બનતી જશે. ‘કેવી રીતે ?’ એવો પ્રશ્ન પૂછશો નહિ. અજમાવો અને અનુભવો. ખાતરી રાખો.
[6] જે અનિવાર્ય હોય તે સહન કરી લો
જે પરિસ્થિતિ-સંજોગો-હોય કે આવે, તે સહન કરી લો. જે નિવારી શકાય નહિ તે સહન કર્યે જ છૂટકો ! આનંદપૂર્વક સહન કરી લો. વહેલી સવારથી તે મધરાત સુધી ભલેને સેંકડો પ્રતિકૂળતાઓ, દુ:ખો, ઉશ્કેરણીઆ વગેરે આવે, તમે સહન કરતાં શીખો. આમ કરવાથી જ તમારી ધીરજ વધશે, આંતરિક બળ ખીલશે અને તમારી ઈચ્છાશક્તિ મજબૂત બનશે. પરિણામે, ગેરલાભને લાભમાં ફેરવી શકાશે, પ્રતિકૂળતાઓને સાનુકૂળ બનાવી શકાશે.
[7] તમારી ફરજ કદી ચૂકશો નહીં
જવાબદારીઓથી દૂર ન ભાગો. ફરજ ન ટાળો. આ રીતે તમને માનસિક શાંતિ નહીં મળે. આ રીતે તો તમારી માનસિક ચિંતાઓ વધશે. તમે તમારી ફરજ ટાળી રહ્યા છો એ વિચાર જ તમારા મનને સતત કોરી ખાશે અને તમારા મનમાં જે કાંઈ થોડી ઘણી શાંતિ હશે તે પણ ઝૂંટવાઈ જશે. એના કરતાં તો તમારામાં રહેલી તમામ તાકાત વડે જવાબદારીઓનો સામનો કરો. પણ સાથે સાથે, આ પણ ઘણું જ જરૂરી છે કે તમારો અહં સંતોષવા તમારે રોજબરોજ નવી નવી જવાબદારીઓનો બોજો તમારા પર ઊછીનો લઈ લેવો જોઈએ નહીં. તળપદી ભાષામાં કહીએ તો ‘આફત વહોરશો નહીં, દુ:ખ ખરીદશો નહીં.’ એના કરતાં તો તમારી જવાબદારીઓ સાથે સુસંગત રહી તમારી બહારની પ્રવૃત્તિઓ જેટલી ઘટાડી શકાય એટલી ઘટાડતા જાઓ. તમારે વધારે ને વધારે સમય પ્રાર્થના, આત્મનિરીક્ષણ, ધ્યાન વગેરે આંતરિક જીવનની બાબતો પાછળ ગાળતા રહો. સંપૂર્ણ શાંતિ તો ત્યારે જ પ્રગટે છે કે જ્યારે મન નિર્વિચાર કે વિચાર-શૂન્ય બની જાય છે. એટલે કે જ્યારે મન જ મરી જાય છે. મન એટલે જ વિચારો. વિચારો એટલે જ અશાંતિ. પ્રવૃત્તિ ઓછી એટલે વિચારો પણ ઓછા. જેમ વિચારો ઓછા, મનની શાંતિ સવિશેષ. વિચારશૂન્યતા એ મનની એવી સર્વોચ્ચ અવસ્થા છે કે જ્યાં સંપૂર્ણ શાંતિ રાજ કરે છે.
[8] સતત સત્કાર્યમાં પરોવાયેલા જ રહો
રોજ કોઈ ચોક્કસ કામ કરો. કોઈ સારું કામ કરો. ‘હું આ કરું કે તે કરું’ એવી દ્વિધામાં સમય બગાડો નહીં. ‘આ કરું કે તે કરું’ એવી વ્યર્થ માનસિક ગડમથલમાં તમે દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો ખર્ચી નાખશો અને અંતે કશું જ ન કર્યા વગર આ ગડમથલ પૂરી કરશો. માટે વધારે પડતું આયોજન ના કરો. આયોજન તો ઈશ્વર કર્યા જ કરે છે. માટે તમે આખો સમય કાંઈક ને કાંઈક સારું કામ કરતા જ રહો. તમારી નક્કર પ્રવૃત્તિમાં તૂટ ન પડવા દો. સતત પ્રવૃત્તિશીલ જ રહો. આરામનું નામ ન લેશો. તમારા જીવનમાં કદી નવરાશની કે નકામી પળો ના હોવી જોઈએ. અરે, થોડી નિષ્કાળજીભરી પળો પણ તમને જીવનમાં નીચે ગબડાવી મૂકશે. સમય એ જ જીવન છે. માટે સમયની કિંમત ધ્યાનમાં રાખી એ રીતે ખર્ચો.
[9] મનને નવરું રાખશો નહીં
તમે તમારા શરીરને આરામ આપતા હો ત્યારે પણ મનને નવરું રાખશો નહીં. તમારા મનને તમે તંદુરસ્ત વાચનમાં કે જપમાં કે માનસિક પ્રાર્થનામાં પરોવાયેલું રાખો. સર્વનાશની શરૂઆત મનમાં જ થાય છે. કર્કશ વાણી તથા દુષ્ટ વિચારો પ્રથમ મનમાં જ ઉદ્દભવે છે. તેથી મનને સ્વચ્છ રાખો. ઉદ્દભવસ્થાન સ્વચ્છ હશે તો જીવનની સરિતા પણ સ્ફટિક જેવા સ્વચ્છ પાણીથી વહેતી રહેશે. કામ કર્યે જવાથી તમારામાં આત્મવિશ્વાસ આવશે. શરૂઆતમાં નિષ્ફળ જવાય તો કાંઈ ચિંતા કરશો નહીં. તમે તમારી ભૂલો સુધારી લેશો તો બીજી વાર જરૂર સફળ થશો જ. હતાશ થઈને ચિંતા કરતાં ખુરશીમાં પડી રહેવાથી કાંઈ શુક્કરવાર વળશે નહીં. આમ કરવાથી તો તમે પૂરેપૂરા નિરાશાવાદી થશો.
[10] અવરોધોથી અકળાશો નહીં
કેટલાક લોકો સારું કામ કરતા હોય અને તેમાં અવરોધો આવે તો અકળાઈ ઊઠે છે. પણ અકળાઈ જવું જોઈએ નહિ, કારણ કે સારા કામના માર્ગમાં અવરોધો તો આવવાના જ. અવરોધો તો સારું કામ કરનારના ખમીરની કસોટી કરવા આવે છે. તેઓ તેની નિષ્ઠા, તેની ધીરજ અને તેની શ્રદ્ધાનું પારખું લેવા આવે છે. સારું કામ કરવાનો તમારો નિર્ણય જેમ જેમ વધારે ને વધારે મજબૂત થતો જશે તેમ તેમ વિરોધી બળો વધારે ને વધારે શક્તિશાળી બનતાં જશે. પરંતુ તમે વિચલિત ના થશો. તમે કાર્ય છોડી ના દેશો. તમે તાબે ના થશો. આત્મશ્રદ્ધા અને ઈશ્વરશ્રદ્ધાના બળથી તમે મુસીબતોને પાર કરી શકશો. મુસીબતો અને કસોટીઓનો સામનો કર્યા વગર, તમે કોઈ પણ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરી શકશો નહીં. પરીક્ષાઓ પસાર કરવાની તૈયારી વગર પદવી મેળવવાની અપેક્ષા રાખવી તે તદ્દન અઘટિત છે. તમે મુશ્કેલીઓથી દૂર ભાગશો તો જીવનમાં કોઈ પણ સારું કામ કરી શકશો નહીં. બહુ બહુ તો તમે આળસમાં પડી રહેશો. પણ આળસમાં પડી રહેવું એ કાંઈ જીવન નથી. સાચું જીવન તો સહેતુક હોવું જોઈએ. જીવનમાં ઉચ્ચ આદર્શો હોવા જોઈએ; અને એ આદર્શો સિદ્ધ કરવા ઝઝૂમવાની તમન્ના હોવી જોઈએ.
[11] નિ:સ્વાર્થ સેવા કરો
શું તમે તદ્દન સ્વાર્થી છો કે કોઈવાર તમે બીજાઓનો પણ વિચાર કરો છો ? સ્વાર્થી માણસને કદી શાંતિ હોતી નથી. ઊલટાનું તમે નિ:સ્વાર્થ હો, તમે બીજાની સેવા કોઈપણ જાતના બદલાની આશા વિના કરતા હો, તો તમને ઘણી જ શાંતિનો અનુભવ થશે. નિષ્કામ સેવા શુદ્ધ આનંદની જનની છે. બીજાને સુખી કરો. તેમનું સુખ જોઈ તમને આનંદ થશે. આ એક એવો ખુલ્લો માર્ગ છે કે જેનો દરેક જણ અનુભવ કરી શકે છે. કોઈ પણ જાતના બદલા કે કદરની અપેક્ષા વગર બીજાની નાની કે મોટી સેવા મળી આવે તે કરો. પણ સેવા ખાતર જ સેવા કરો. જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે સેવા કરો. પ્રત્યેક અવસરે સેવા કરો. વળી, જીવનમાં જે મનુષ્ય માનસિક શાંતિ ઝંખે છે તેણે દરેક તબક્કે સારા-નરસાનો વિવેક કરતાં શીખવું જોઈએ. શું સાચું છે ? શું ખોટું છે ? શું શક્ય છે ? શું અશક્ય છે ? અમુક ખાસ પરિસ્થિતિમાં ડાહ્યા અને સમજદાર માણસોએ કયો માર્ગ સૂચવ્યો છે ? ધર્મશાસ્ત્રોએ શો રસ્તો બતાવ્યો છે ? તમારું અંત:કરણ શું કહે છે ? આવી જ પરિસ્થિતિમાં મહાન આત્માઓ કેવી રીતે વર્ત્યા છે ? વગેરેનો વિચાર કરવો જોઈએ.
[12] સારા-નરસાનો વિવેક કરતાં શીખો
સાચો માર્ગ મેળવવા માટે તથા દષ્ટિની સ્પષ્ટતા માટે દરેક સ્તરે આત્મનિરીક્ષણની જરૂર છે. મનના સ્વાભાવિક આવેગને કે ઈન્દ્રિયો અને લાગણીઓની માંગને અનુસરીને વર્તન કરવાથી તો માયાએ પાથરેલી જાળમાં સીધા જ ચાલીને ફસાવા જેવું છે. માટે સતત વિવેકબુદ્ધિથી, પ્રેયસ માર્ગ (ભોગવિલાસનો માર્ગ) અને શ્રેયસ માર્ગ (કલ્યાણકારી માર્ગ) – કલ્યાણકારી માર્ગ અને અકલ્યાણકારી માર્ગ વચ્ચે નિર્ણય કરતા રહેવું જોઈએ. જ્યારે જ્યારે મન તમને દુનિયાના લપસણા માર્ગ તરફ કે બીજાનું અનુકરણ કરવા તરફ લલચાવે ત્યારે ત્યારે તમારે વારંવાર તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જ પડશે. બીજાનું અનુકરણ કરવાની ઈચ્છા એટલી બધી પ્રબળ હોય છે કે ડાહ્યો અને સમજદાર માનવી પણ તેને વશ થઈ જાય છે.
[13] લાલચમાં ન લપટાવ
દરેક પ્રકારની લાલચથી દૂર રહો. લલચાવનારી ભૂમિમાં ડગ ના ભરો, કારણ કે ડગ ભર્યા પછી લાલચનો સામનો કરવા ઝઝૂમવું પડશે. લાલચમાં ફસાશો તો તમારી ઈચ્છા પર બિનજરૂરી બોજો વધી જશે. તમે લાલચનો સામનો કરવામાં સફળ થશો તો યે તમારા મનમાં લાલસા રહી જશે. યાદ રાખો કે ‘લાલસા બેચેની-અશાંતિ પેદા કરે છે.’
[14] જરૂરિયાત ઘટાડો
તમારી જરૂરિયાતો વધારીને ભિખારી જેવી લાગણી ના અનુભવો. બલકે તમારી જરૂરિયાતો ઘટાડીને રાજા જેવી લાગણી અનુભવો. ઘેર તમારી પાસે પૂરતા કપડાં હોવા છતાં પણ તમારે શા માટે કાપડની દુકાનમાં પ્રવેશી ભાતભાતનાં કાપડ નીરખી જીવ બાળવો જોઈએ ? આમ કરવાથી કાં તો તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદશો અથવા નિસાસો નાંખશો કે, ‘અરેરે, આ મારી પાસે નથી. આહ ! હું આ ખરીદી શકું તો !’
[15] ખંતપૂર્વક સદગુણો કેળવો
શ્રદ્ધા રાખવી પડશે, પ્રેમ વહાવવો પડશે, નિ:સ્વાર્થપણે વર્તવું પડશે, દાનધર્મ આચરવો પડશે, નિષ્કામ બનવું પડશે, ભક્તિ કેળવવી પડશે. આ સદગુણો એક રાતમાં પ્રગટ થતા નથી. તે કેળવવા માટે રાતદિવસ ખંતપૂર્વક મંડ્યા રહેવું પડશે. ત્યાર પછી જ આ સદગુણોનું આચરણ તમારા જીવનમાં સ્વાભાવિક, રોજિંદી ટેવ અને જીવનનો આદર્શ બની રહેશે.
[16] પહેલાં તમારી જાતને સુધારો
તમે બીજાને ધિક્કારતા હો, બીજાની લાગણી દૂભવતા હો, તમારાં નોકરોને અપશબ્દો કહેતા હો, તમારાં બાળકોને ટોણાં મારતા હો, ઘરમાં તમારી પત્ની સાથે દુર્વ્યવહાર કરતા હો, કચેરીમાં તમારા હાથ નીચેના માણસોને સતાવતા હો, ધંધામાં ઘરાકોને છેતરતા હો – તમે આ બધું જ અને તેથી પણ વધારે ખરાબ આચરણ કરતા હો, અને આમ છતાં તમે મનની શાંતિ ઈચ્છતા હો, તો તમે કોઈ અશક્યની જ માગણી કરો છો. વળી, માનસિક શાંતિ માટે તમારી યોગ્યતા કે પાત્રતા પણ નથી. જે માણસ બીજાની માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે તેને, પોતાને માટે માનસિક શાંતિની અપેક્ષા રાખવાનો કોઈ અધિકાર નથી. માટે પહેલાં ‘તમારી જાતને સુધારો.’
[17] આધ્યાત્મિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહો
આધ્યાત્મિક વિકાસમાંથી માનસિક શાંતિ જન્મે છે એ સાચું છે. આધ્યાત્મિક વિકાસ એ આંતરિક પ્રક્રિયા છે; આધ્યાત્મિક જીવન એ આંતરિક જીવન છે. એ પણ એટલું જ સાચું છે કે આવો આંતરિક વિકાસ બહારનાં સાનુકૂળ બળોની મદદથી થાય છે. તમારાં બાળકોમાં પણ એવા જ સંસ્કારોનું સિંચન કરો. મહાન તત્વચિંતકો કહે છે કે માનવીની કિંમત તે શું કરે છે તેનાથી નહિ પણ તે શું છે તેનાથી અંકાય છે. તેથી તમામ દુન્યવી મહત્વાકાંક્ષાઓનો છેદ ઉડાવી દો. તેને બદલે આધ્યાત્મિક ઉન્નતિની તીવ્ર ઈચ્છા વિકસાવો. સાધુતાનો વિકાસ કરવાની તીવ્ર ઝંખના સેવો. તમામ ક્ષુદ્ર વાસનાઓ અને મહેચ્છાઓની જગ્યા આ એક જ આદર્શથી પૂરી દો.
[18] વિચાર, વાણી અને વર્તનમાં સામ્યતા રાખો
એકવાર તમે તમારા માટે આદર્શ નક્કી કરો, પછી તમે તમારી જાતને વફાદાર રહો. તમારા વિચાર, વાણી અને વર્તન વચ્ચે વધારે ને વધારે પ્રમાણમાં એકસૂત્રતા લાવો. જેવું વિચારો તેવું બોલો અને જેવું બોલો તેવું વર્તો. તમામ પ્રકારનો દંભ ખંખેરી નાખો. તમારા જીવનમાંથી તમામ પ્રકારનો દંભ દૂર કરો. દંભ એ માનસિક શાંતિનો કટ્ટર દુશ્મન છે. ભૌતિક સપાટી ઉપર તમારાથી ઓછા ભાગ્યશાળી હોય તેની સાથે તમારી જાતને સરખાવો અને આધ્યાત્મિક સપાટી પર તમારાથી વધારે ભાગ્યશાળી હોય તેની સાથે તમારી જાતને સરખાવો. આ રીત તમારામાં ભૌતિક સંતોષ પ્રેરશે અને આધ્યાત્મિક અસંતોષ જાગૃત કરશે. આ રીતે જ તમે પ્રગતિ કરી શકશો અને શાંતિ મેળવી શકશો. પરંતુ આ રીતને બદલે ઊલટી રીત અજમાવશો તો, દા…ત, ભૌતિક સુખ-સાહ્યબીમાં તમારાથી ચઢિયાતા હોય અને આધ્યાત્મિક પ્રગતિમાં તમારાથી ઊતરતા હોય તેમની સાથે તમારી જાતને સરખાવશો – અને ઘણા આમ જ કરતા હોય છે – તો તે તમારામાં ભૌતિક અસંતોષની અને આધ્યાત્મિક અહંકારની મહાન અનર્થકારી અસરો ઊભી કરશે. ખરેખર નરક તરફ દોરી જનારો આજ ચોક્કસ માર્ગ છે. કસોટીમાંથી પાર ઊતરેલા થોડા સાચા મિત્રોનો જ સંગ રાખો. ઓળખાણોની ખાણ ન ખોદશો. કોઈની સાથે ઘનિષ્ટ સંબંધ ન બાંધશો. અતિપરિચયથી અવજ્ઞા જ મળે છે; લાગણીઓ ઘવાય છે, મનની શાંતિ હણાય છે.
[19] દલીલબાજીથી દૂર રહો
કદી દલીલ કરશો નહિ, કદી દલીલબાજીમાં ઊતરશો નહીં. તમારો કક્કો ખરો કરવાની શી જરૂર ? (દલીલબાજીમાં જીતવાની તમે શા માટે આકાંક્ષા રાખો છો ?) તેનાથી તમને કશો જ ચોખ્ખો લાભ થતો નથી. તેનાથી તો તમારો અહમ ભભૂકી ઊઠશે, તમે બીજા માણસના અહમ પર ઘા કરશો અને મિત્રો મિત્રો વચ્ચે ઘર્ષણ પેદા કરશો. બીજા માણસને પણ તમારી વિરુદ્ધ મત ધરાવવાનો અધિકાર છે. તેને તેમ કરવા દો. આ દુનિયામાં ઘણા સુધારી ના શકાય એવા મૂર્ખાઓ છે. તેમને તમે કદી પણ બદલી શકશો નહિ; તેમને ગળે કદી પણ તમારી વાત ઉતારી શકશો નહિ. માટે તેમને સુધારવા માટે તમે તમારો સમય અને શક્તિ વેડફશો નહિ. આમ કરવાથી તો જરૂર તમે થાકી જશો અને દુશ્મનાવટ વહોરશો.
[20] સ્થિતપ્રજ્ઞ બનો, મનને સમતોલ રાખો
દરેક અનુભવનો, જીવનમાં તે જે રીતે આવે – સારી કે નરસી – તે રીતે તેનો સ્વીકાર કરો. રોદણાં રડશો નહિ. ફરિયાદ કરશો નહિ, દિલગીર થશો નહિ. અતિ ઉત્સાહિત પણ થશો નહિ. ધૈર્ય ધરજો. જો તમે મનમાં ને મનમાં બળ્યા કરશો તો દુ:ખને આમંત્રણ આપશો. આ અરસપરસ સંબંધવાળી ધરતીની સપાટી પર, ક્રિયા અને પ્રતિક્રિયા થયા જ કરે છે. અત્યારે તમે હસશો તો પાછળથી ક્યારેક તમારે રડવું પડશે જ. સપાટ જમીન પર માટીનો ટેકરો કરવો હોય તો જમીનમાં ખાડો ખોદી તેમાંથી માટી બહાર કાઢીને જ કરી શકો; કારણ કે, જેમ ખાડા વગર માટી નહિ, તેમ હાસ્ય વગર રુદન નહિ, તેથી હંમેશા સમતા રાખો, હંમેશાં સ્વસ્થ, શાંત રહો. ખીખી કરી ખડખડાટ હસવા તથા માત્ર એક ક્ષણ માટે દુ:ખને ઢાંકી દેતા કહેવાતા સુખ કરતાં સ્વસ્થતા વધારે ચઢિયાતી છે.
[21] જીવનનાં દુ:ખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો
સ્વીકારતાં શીખો. તમારા જીવનની પ્રત્યેક ઘટનાને ઈશ્વરની ઈચ્છા-મરજી-માની સ્વીકારી લો. ‘ઓ પ્રભુ ! તારી ઈચ્છા જ બળવાન છે.’ જીવનમાં આવતી પ્રત્યેક ચડતી-પડતી તરફ તમારો આ જ પ્રતિભાવ હોવો જોઈએ. ઈશ્વર જ તમારો સાચો મિત્ર-સાથી છે. એ જ તમારો મોટામાં મોટો હિતચિંતક છે. તે જ તમને સારા-નરસા અનુભવો કરાવે છે જેથી તમે ઘડાવ અને ઈશ્વરની ઈચ્છા પાર પાડવાનું તીક્ષ્ણ, ઘાટીલું અને અસરકારક હથિયાર-સાધન બનો. ભગવાનના દિવ્ય હાથો વડે તમારી જાતને ઘડવા દો. તમારી જાતને પ્રભુને સંપૂર્ણ સમર્પિત કરી દો. દરરોજ સવારનાં તમે પથારીમાં ઊઠો ત્યારે કંઈ નહીં તો છેવટે બે જ મિનિટ ભગવાનને પ્રાર્થના કરો. તમારા સર્જક માટે દરરોજ તમે આટલો સમય તો મેળવી શકશો જ. ‘હે ઈશ્વર ! તારી ઈચ્છા પૂરી કરવા તને જે રીતે ઠીક લાગે તે રીતે મારો ઉપયોગ કર. હું મારી જાતને ખાલીખમ બનાવી તારે હવાલે સોંપી દઉં છું.’ અસ્તુ.

Source: readgujarati.com

વિશુદ્ધ મનુસ્મૃતિ

વિશુદ્ધ મનુસ્મૃતિ – પ્રો. ડૉ. સુરેન્દ્રકુમાર

[વૈદિક ધર્મના સિદ્ધાંતોનું સંવિધાન દર્શાવતા પ્રાચીન ગ્રંથ ‘મનુસ્મૃતિ’માંથી કેટલાક જીવનોપયોગી સુવિચારો અહીં ‘વિશુદ્ધ મનુસ્મૃતિ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1]
एक एव सुहद्धर्मो निधतेडप्यनुयाति यः ।
शरीरेण समं नाशं सर्वमन्यद्धि गच्छति ।।
આ સંસારમાં એક ધર્મ જ સુહૃદ એટલે કે મિત્ર છે, જે મૃત્યુ પછી પણ સાથે આવે છે અને સર્વ પદાર્થ કે સંગી શરીરના નાશ સાથે જ નાશને પ્રાપ્ત થાય છે અર્થાત સર્વ સંગ છૂટી જાય છે પરંતુ ધર્મનો સંગ કદી છૂટતો નથી.
[2]
नामुत्र हि सहायार्थं पिता माता च तिष्ठतः ।
न पुत्रदारा न ज्ञातिर्धर्मस्तिष्ठति केवलः ।।
एकः प्रजायते जन्तुरेक एव प्रलीयते ।
एकोडनुभुडक्ते सुकृतमेक एव च दुष्कृतम ।।
मृतं शरीरमुत्सृजय काष्ठालोष्ठसमं क्षितौ ।
विमुखा बान्धवा यान्ति धर्मस्तभनुगच्छति ।।
પરલોકમાં માતા, પિતા, પુત્ર, સ્ત્રી અને જ્ઞાતિ એમાંથી કોઈ પણ સહાય કરી શકતા નથી, કિન્તુ એક ધર્મ જ આપણો સહાયક બને છે. જુઓ, એકલો જ જીવ જન્મ અને મરણને પ્રાપ્ત કરે છે તેમ તે એકલો જ ધર્મનું ફળ, સુખ અને અધર્મનું દુઃખરૂપી ફળ ભોગવે છે. જ્યારે કોઈનો સંબંધી મરી જાય છે ત્યારે તેને લાકડાં અને માટીના ઢેફાની માફક ભૂમિ ઉપર છોડીને તેના તરફ પીઠ કરી બન્ધુવર્ગ વિમુખ થઈ ચાલ્યા જાય છે. કોઈ તેની સાથે જનાર હોતું નથી. કિન્તુ એક ધર્મ જ તેનો સંગી થાય છે.

[3]
सदा प्रह्यष्ट्या भाव्यं गृहकार्येषु दक्षया ।
सुसंस्कृतोपस्करया व्यये चामुक्तहस्तया ।।
સ્ત્રીઓ માટે તે યોગ્ય છે કે તેઓ અતિ પ્રસન્નતાથી ઘરનાં કાર્યોમાં ચતુરાઈપૂર્વક સર્વ પદાર્થોનો ઉત્તમ સંસ્કાર અને ઘરની શુદ્ધિ રાખે, ખર્ચ કરવામાં અત્યંત ઉદાર ન રહે, અર્થાત યથાયોગ્ય ખર્ચ કરે, સર્વ વસ્તુઓને પવિત્ર રાખે, રસોઈ એવી રીતે બનાવે કે જે ઔષધિરૂપ બનીને શરીર અને આત્મામાં રોગ પ્રવેશવા ન દે. જે જે વ્યય-ખર્ચ થાય, તેનો હિસાબ બરાબર રાખે અને પતિ આદિને બતાવે. ઘરના નોકર-ચાકર પાસે યથાયોગ્ય કામ લે અને ઘરનાં કોઈપણ કામને બગડવા ન દે.
[4]
योडन्यथा सन्तमात्मानमन्यथा सत्सु भाषते ।
स पापकृतमो लोके स्तेन आत्मापहारकः ।।
જે વ્યક્તિ સ્વયં કંઈક બીજું હોવા છતાં જે પોતે પોતાને કંઈકનું કંઈક બતાવે તે આ લોકમાં ‘અતિપાપી’ માનવામાં આવે છે. કારણ કે તે પોતાના આત્માનું હનન કરનાર ચોર છે.
[5]
दुढकारी मृदुर्दान्तः क्रूराचारैरसवसन ।
अहिंस्नो दमदानाभ्यां जयेत्स्वर्गं तथाव्रतः ।।
જે વ્યક્તિ સદા દઢકારી, કોમળ સ્વભાવ અને જિતેન્દ્રિય છે તેમજ જે હિંસક, ક્રૂર અને દુષ્ટાચારી પુરુષોથી અલગ એટલે કે પૃથક રહે છે અને જે હિંસાના સ્વભાવરહિત છે, તે ધર્માત્મા પુરુષ, મનને જીતવાથી અને વિદ્યાદિ દાનથી સુખને પ્રાપ્ત કરે છે.
[6]
पानं दुर्जनसंसर्गः पत्या च विरहोडटनम ।
स्वप्नोडन्यगेहवासश्च नारीसंदूषणानि षट ।।
મદ્ય, ભાંગ આદિ નશીલા દ્રવ્યોનું પીવું, દુષ્ટ પુરુષોનો સંગ, પતિવિયોગ, એકલાં જ્યાં ત્યાં રખડવું અને પારકે ઘેર જઈને શયન કે વાસ કરવો – સ્ત્રીને દૂષિત કરનારા આ છ દુર્ગુણો છે.
[7]
उत्कोचकाशचौपधिका वझ्चकाः कितवास्तथा ।
मडलादेशवृताश्च भद्राश्चेक्षणिकैः सह ।।
असम्यक्कारिणश्चैव महामात्राश्चिकित्सकाः ।
शिल्पोपचारयुक्ताश्च निपुणाः पण्ययोषितः ।।
एवमादीन्विजानीयात्प्रकाशांल्लोककण्टकान ।
निगूढचारिणश्चान्याननार्यानार्यलिंग्नानः ।।
(1) રૂશવતખોર (2) ભય બતાવીને ધન હરનાર (બ્લેકમેઈલ કરનાર) (3) ઠગ (4) જુગારમાંથી ધન લેનાર (5) ‘તમને પુત્ર કે ધનપ્રાપ્તિ થશે’ વગેરે માંગલિક વાતો કહીને ધન લૂંટનાર (6) સાધુ-સંન્યાસી આદિ ભદ્રરૂપ ધારણ કરીને ધન ઠગનાર, (7) હાથ આદિ જોઈને ભવિષ્ય બનાવી ધન ઠગનાર (8) ધન, વસ્તુ વગેરે લઈને ખોટી રીતે કામ કરનાર ઉચ્ચ રાજકર્મચારી (મંત્રી, પ્રધાન વગેરે), (9) અનુચિત માત્રામાં ધન લેનાર કે અયોગ્ય ચિકિત્સક, વૈદ (10) ધન ઠગવામાં ચતુર વેશ્યાઓ વગેરેને અને બીજા જે શ્રેષ્ઠોનો વેશ કે ચિહ્ન ધારણ કરીને ગુપ્ત રીતે વિચરણ કરનાર દુષ્ટ કે ખરાબ વ્યક્તિ હોય તેને પ્રજાઓને પીડિત કરનાર ચોર સમજવા.
[8]
पितृभिर्भ्रातृभिश्चैताः पतिभिर्देवरैस्तथा ।
पूज्या भूषयितव्याश्च बहुकल्याणमीप्सुभिः ।।
પિતા, ભાઈ, પતિ અને દીયર વગેરે માટે યોગ્ય છે કે તેઓ પોતાની કન્યા, બહેન, સ્ત્રી, અને ભાભી વગેરે સ્ત્રીઓની હંમેશા પૂજા-સત્કાર કરે અર્થાત યથાયોગ્ય મધુર ભાષણ, ભોજન, વસ્ત્ર, આભૂષણ વગેરેથી પ્રસન્ન રાખે. જેઓની કલ્યાણની ઈચ્છા હોય તેઓએ સ્ત્રીઓને કદી પણ કલેશ નહિ આપવો.
[9]
इन्दियाणां तु सर्वेषां यधेकं क्षरतीन्द्रियम ।
तेनास्य क्षरति प्रज्ञा दते पादादिवोदकम ।।
સર્વ ઈન્દ્રિયોમાં જો એક પણ ઈન્દ્રિય પોતાના વિષયમાં આસક્ત થઈને રહે તો તેને કારણે જેમ ચામડાના વાસણમાં છિદ્ર પડવાથી બધું પાણી ધીમે ધીમે બહાર નીકળી નાશ પામે છે તેમ વિષયોમાં આસક્ત થયેલ મનુષ્યની બુદ્ધિ નાશ થતી જાય છે.
[10]
अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः ।
चत्वारि तस्य वर्धन्ते आयुर्विधायशो बलम ।।
અભિવાદન કરવાનો જેનો સ્વભાવ છે તેવા તથા વયોવૃદ્ધ અને વિદ્યાવૃદ્ધ પુરુષોની જે નિત્ય સેવા કરે છે, તેની ઉંમર, વિદ્યા, કીર્તિ અને બળ એ ચારેય નિત્ય ઉન્નતિ પામ્યા કરે છે.
[11]
नापृष्टः कस्यचिद ब्रूयान्न चान्यायेन पृच्छतः ।
जानन्नपि हि मेघावी जडवल्लोक आचरेत ।।
કદી વગર પૂછ્યે કે અન્યાયથી પૂછનારાને કે જે કપટથી પ્રશ્ન પૂછતા હોય તેને ઉત્તર ન આપવો અને તેની સામે જાણતા હોવા છતાં બુદ્ધિમાન લોકોએ જડ જેમ રહેવું. નિષ્કપટ અને જિજ્ઞાસુ હોય, તેને વિના પૂછ્યે પણ ઉપદેશ કરવો.
[12]
नात्मानमवमन्येत पूर्वाभिरसमृद्धिभिः ।
आमृत्योः श्रियमन्विच्छेन्नैनां मन्येत दुर्लभाम ।।
જે ગૃહસ્થો પ્રથમ પુષ્કળ ધનવાન હોય અને પછી (દુર્ભાગ્યવશ) નિર્ધન સ્થિતિમાં આવી પડે તો તે વખતે પોતાના આત્માનું અપમાન અથવા વિલાપ કદી ન કરવો કે ‘હાય ! અમે નિર્ધન થઈ ગયા.’ વગેરે.. કિન્તુ જરૂરિયાત પૂરતી લક્ષ્મી મેળવવા માટે મરણ પર્યન્ત પુરુષાર્થ કરવો અને તે દુર્લભ છે એમ કદી પણ ન સમજવું.
[13]
सत्यं ब्रूयात्प्रियं ब्रूयान्न ब्रूयात्सत्यमप्रियम ।
प्रियं च नातृतं ब्रूयादेष धर्मः सनातनः ।।
સદા પ્રિય, સત્ય અને હિતકારક બોલવું. અપ્રિય સત્ય અર્થાત કાણાને કાણો ન કહેવો. અનૃત અર્થાત જૂઠું, બીજાને પ્રસન્ન કરવા અર્થે બોલવું નહિ. આ સનાતન ધર્મ છે.
[14]
नेहेतार्थान्प्रसगेन न विरुद्धेन कर्मणा ।
न विधमानेष्वर्थेषु नार्त्यामपि यतस्ततः ।।
ગૃહસ્થે કદી પણ દુષ્ટતાના પ્રસંગથી, ધર્મવિરુદ્ધ કર્મથી અને વિદ્યમાન પદાર્થ હોવા છતાં તેને ગુપ્ત રાખી, કપટ કરીને અને ગમે એટલું દુઃખ આવી પડે તો પણ અધર્મથી અથવા બીજા કોઈ એવા કુમાર્ગથી ધનનો સંચય કદી પણ ન કરવો.
[15]
न कन्यायाः पिता विद्वान्गृहणीयाच्छुकमण्वपि ।
गृहणच्छुल्कं हि लोभेन स्यान्नरोडपत्यविक्रयी ।।
બુદ્ધિમાન કન્યાના પિતાએ કન્યાના વિવાહમાં થોડું પણ મૂલ્ય કે ધન આપવું કે લેવું ન જોઈએ. લોભમાં આવીને જે મનુષ્ય મૂલ્ય લે તો તે મનુષ્ય સંતાનને વેચનાર જ કહેવાય છે.
[કુલ પાન : 314. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : દર્શન યોગ મહાવિદ્યાલય, આર્યવત રોઝડ, પો. સાગપુર, જિ. સાબરકાંઠા-383307.]

Source: readgujarati.com